BANASKANTHAKANKREJ

વડા સાંપરિયાવાસ પ્રા. શાળાના ધો.-૫ ના બાળકોનો દિક્ષાન્ત સમારોહ યોજાયો

કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ સાંપરિયાવાસ પ્રાથમિક  શાળામાં ધોરણ-૫માં અભ્યાસ કરતા ૨૨ બાળકોનો દિક્ષાન્ત સમારોહ આજરોજ તા.૦૮/૦૪/૨૦૨૪ ને સોમવારના રોજ યોજાયો હતો.શાળાના આચાર્ય પ્રવીણભાઈ સી.માધુએ વિદાય લેતા બાળકોને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે તમામ બાળકો પૂર્ણ સમયનું શિક્ષણ મેળવી ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે તેવી શાળા પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવી હતી.વિદાય લેતા બાળકોએ પોત-પોતાના પ્રતિભાવો રજૂ કરી ભાવવિભોર બન્યા હતા.વિદાય લેતા બાળકો તથા માઁ મસાલા ભંડાર પરિવાર દ્વારા શાળાને સરસ્વતી માતાની છબી તથા સરસ્વતી માતાજીની બેઠકવાળી ખુરશી શાળાને ભેટમાં આપેલ.એમ.ડી.એમ.સંચાલક ગંભીરજી અટુંબીયા તરફથી પુરી- શાકનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું હતું.શિક્ષક બી.કે.સોલંકી,એમ.યુ.ઝાલાએ પ્રસંગને દિપાવવા સુંદર આયોજન કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button