BANASKANTHAPALANPUR

સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ

15 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી તથા ભૂતપૂર્વ પ્રમુખશ્રી કાળુભાઈ વી પરમારે બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા તથા બાબાસાહેબના જીવન વિશે તથા તેમણે કરેલા કાર્યો વિશે વક્તવ્ય આપ્યું અને જન્મ જયંતી નિમિત્તે સમાજને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ,કારોબારી સભ્યશ્રીઓ તથા સમાજના મહાનુભાવો તથા સમતા વિદ્યા વિહાર સંકુલના શિક્ષક ગણે સમૂહમાં બુદ્ધ વંદના કરીને જન્મ જયંતિની ઉજવણી આનંદ અને ઉત્સાહભેર ઉજવી.

[wptube id="1252022"]
Back to top button