આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરના સંયુક્ત ઉપક્રમે “અમૃત મહોત્સવ“ અંતર્ગત “પર્યાવરણ જાગૃતિ” કાર્યક્રમ યોજાયો

21 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં કાર્યરત આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે “અમૃત મહોત્સવ” અંતર્ગત “પર્યાવરણ જાગૃતિ” અંગેની રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ વી.ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ બી. ચૌધરી તેમજ અન્ય હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહી “પર્યાવરણ જાગૃતિ” અંતર્ગત રેલીને લીલીઝંડી આપીને સંકુલના પટાંગણમાંથી પ્રસ્થાન કરાવ્યું હતું.કોલેજના પ્રિન્સીપાલશ્રી, અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા “પર્યાવરણ જાગૃતિ” કાર્યક્રમ થકી ગ્લોબલ વોર્મિંગની અસરોથી લોકોને સાવચેત કરવા તેમજ પર્યાવરણનું જતન કરવા માટે પર્યાવરણ જાગૃતિના નારાઓ સાથેની રેલી સવાલા દરવાજા, જનરલ સિવિલ હોસ્પિટલ, ત્રણ ટાવર અને દીપડા દરવાજા થઈને કોલેજના પટાંગણમાં પરત આવી હતી. ત્યારબાદ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી,મંત્રીશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ અને કોલેજના પ્રિન્સીપાલશ્રી, અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ દ્રારા આશરે ૧૦૦ થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ પ્રમુખશ્રીની પ્રેરણાથી તથા સમગ્ર સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન થયું હતું.



