HALOLPANCHMAHAL

જાંબુઘોડા નગરમાં જન્માષ્ટમી પર્વની હર્ષઉલ્લાસ પૂર્વક ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૮.૯.૨૦૨૩

જાંબુઘોડા નગરની મધ્યમાં આવેલા રણછોડજી મંદિરે મધ્યરાત્રીએ ઘડિયાળમાં 12 ના ટકોરા રણકી ઉઠયા ની સાથે રણછોડજી મંદિરમાં શંખનાદ ઢોલ નગારા ના અવાજો સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના જય ઘોષ થી જન્માષ્ટમી પર્વ ની ઉજવણી હર્ષ ઉલ્લાસ પૂર્વક કરવામાં આવી હતી.જ્યારે મંદિર ભાવિક ભક્તોથી ઉભરાઈ ઉઠ્યુ હતુ જ્યારે નગરમાં ઘણા ભક્તોએ પોતાના ઘરોમાં સજાવટ કરી કૃષ્ણ ભગવાનને ઝૂલે ઝુલાવીને જન્મોત્સવ ઉજવ્યો હતો જન્માષ્ટમી આવતી હોવાથી મયક કુમાર દેસાઈ પરિવાર તરફ થી જાંબુઘોડા ના રણછોડજી મંદિર ને રીનોવેશન કરી રંગ રોગાન કરવાવામાં આવ્યુ હતુ.કૃષ્ણ જન્મોત્સવ ને લઇ સમગ્ર જાંબુઘોડા નગર કૃષ્ણમય બની ગયું હતું જ્યારે રાત્રે ઝરમર ઝરમર વરસતા વરસાદમાં પણ રણછોડજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી જ્યારે વરસાદ ને લઇ કૃષ્ણ ઘેલા ભક્તો ના ઉત્સાહમાં વધારો જોવા મળ્યો હતો શ્રદ્ધાળુઓએ અપાર ઉત્સાહ અનેરા ઉમંગ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.જ્યારે આ પ્રસંગે પંચમહાલ જીલ્લા પંચાયત નાં પૂર્વ પ્રમુખ કેતુબેન દેસાઈ તેમજ જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયત નાં યુવા સરપંચ જીત કુમાર દેસાઈ પન ઉપસ્થિત રહ્યા હતા અને જન્માષ્ટમી પર્વની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button