GUJARATJETPURRAJKOT

Jetpur: “સેવાસેતુ કાર્યક્રમ”ના નવમા તબક્કા અન્વયે તા. ૧૦ જાન્યુઆરીએ જેતપુર શહેરી વિસ્તાર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

તા.૮/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વોર્ડ નં. ૦૬ થી ૧૧ ના નગરજનો ખાખામઢી મંદિર, સારણ પુલ પાસે, અમરનગર રોડ, જેતપુર ખાતે લાભ લઈ શકશે

Rajkot, jetpur: રાજય સરકાર દ્વારા પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે. જેના નવમા તબક્કા અન્વયે તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ ને બુધવાર ના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ નગરપાલિકા વિસ્તાર માટે “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન ખાખામઢી મંદિર, સારણ પુલ પાસે, અમરનગર રોડ, જેતપુર ખાતે કરવામાં આવ્યું છે. જેનો લાભ જેતપુર-નવાગઢ નગરપાલિકાના વોર્ડ નં. ૦૬ થી ૧૧ ના નગરજનો સવારે ૯.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી લઈ શકશે.

આ કાર્યક્રમમાં સરકારશ્રીના ૧૩ જેટલા વિભાગોની વિવિધ ૫૬ જેટલી યોજનાકીય સેવાઓ એક જ સ્થળે નગરજનોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. અરજદારોને તેમની અરજી તથા સંબંધિત આધાર પુરાવા માટેની તમામ સુવિધા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિવિધ સેવાઓનો લાભ લેવા માટે આધાર પુરાવા સાથે અરજદારે હાજર રહેવાનું રહેશે. અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે જેતપુર – નવાગઢ નગરપાલિકાની વિવિધ કચેરીનાં અધિકારીશ્રીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહેશે. જેનો લાભાર્થીઓએ લાભ લેવા વહીવટીતંત્ર વતી જેતપુર શહેર મામલતદારશ્રી વી. એન.ભારાઈએ અનુરોધ કર્યો છે.

[wptube id="1252022"]
Back to top button