MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં બીપરજોય વાવાઝોડામાં સલામત સ્થળે જવા માટે ઝૂંપડપટ્ટીના લોકોને સમજાવતા આચાર્યો

મોરબીમાં બીપરજોય વાવાઝોડામાં સલામત સ્થળે જવા માટે ઝૂંપડપટ્ટીના લોકોને સમજાવતા આચાર્યો

છેલ્લા પખવાડિયાથી બિપરજોય વાવાઝોડું સક્રિય થયું હોય નવલખી અને મોરબી તરફ આગળ વધી રહ્યું હોય,તંત્ર અને સ્વૈચ્છીક સંસ્થા દ્વારા લોકોના જાન-માલની રક્ષા થાય એ માટે રહવા-જમવાની વ્યવસ્થા શેલ્ટરની વ્યવસ્થા કરેલ હોવા છતાં વારંવાર સમજાવવા છતાં ઝૂંપડાંમાં રહેતા ઘણા બધા લોકો પોતાના ઝૂંપડાંમાંથી સલામત સ્થળે જતા ન હોય માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય અને જિલ્લા અધ્યક્ષ રસ્તો શૈક્ષિક મહાસંઘ-મોરબી દિનેશભાઈ વડસોલા તેમજ તુષારભાઈ બોપલીયા આચાર્ય માધાપરવાડી કન્યા શાળા તેમજ કાળુભાઈ પરમાર અધ્યક્ષ એસ.એમ.સી. વગેરેએ રૂબરૂ ઝૂંપડાંઓની મુલાકાત લઈ,એક જ કલાકમાં ઝૂંપડાંમાંથી ક્રિષ્ના હોલ,કંડલા બાયપાસ ખાતે શિફ્ટ થઈ જવા તાકીદ કરેલ છે અને જરૂર પડ્યે પોલીસ વિભાગને જાણ કરવાની પણ લોકોને ચીમકી આપવામાં આવી

[wptube id="1252022"]
Back to top button