GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની રાજકોટવાસીઓને અચૂક મતદાન કરવાની અપીલ

તા.૧૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકશાહીના મહાપર્વમાં વહીવટીતંત્ર ખડેપગે છે. ત્યારે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણએ પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીનાથજી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે જિલ્લાપંચાયત ખાતે ચર્ચા હતી. જેમાં આંગણવાડી બહેનો તાલુકાઓના ગામડાઓમાં તમામ મહિલાઓ સાથે સંપર્કમાં હોવાથી તેમના દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટે સઘન પ્રયત્નો કરવા ઉપસ્થિતોને સૂચના આપી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું કે, રાજકોટમાં ૨,૨૨૫ મતદાન મથકો છે, જેમાં ત્રેવીસ લાખથી વધુ મતદાતાઓ દેશના તહેવારમાં સહભાગી થાય, તે બાબતનું ધ્યાન રાખી મહત્તમ મતદાન માટેના પ્રયત્નો કરવાની અપીલ કરી હતી.
[wptube id="1252022"]