GODHARAGUJARATPANCHMAHAL

ગોધરા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા જે.એલ.વાળંદ વયનિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

__________

ગોધરા

 

આજરોજ ૩૦ એપ્રિલના રોજ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાઇને નિવૃત્ત થતા સેવક જે.એલ.વાળંદનો વિદાય સમારંભ નાયબ માહિતી નિયામક સુશ્રી પારુલ મણિયારના

અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જે.એલ.વાળંદએ ૩૪ વર્ષના સમયગાળા સુધી સરકારી સેવામાં ફરજ બજાવીને આજરોજ તેઓ વય નિવૃત્ત થયા છે.

 

આ પ્રસંગે નાયબ માહિતી નિયામક એ જણાવ્યું હતું કે, કામગીરીમાં ચીવટ ત્વરા અને કાળજીપૂર્વક સેવાઓ બદલ તેમની કામગીરીને બિરદાવી વય નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવી હતી.  વાળંદનું મોમેન્ટો અને સાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.સાથી કર્મચારીઓએ તેમનું નિવૃત્તિમય જીવન સુખમય અને તંદુરસ્ત રહે,તેવા આશિષ આપ્યા હતા.

 

આ સમારોહમાં પૂર્વ સંયુક્ત માહિતી નિયામક આર.આર.રાઠોડ સહિત કચેરીના કર્મચારીઓ,વય નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

***

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button