GUJARATJETPURRAJKOT

Rajkot: પોલીસ કમિશ્નરશ્રીની અધ્યક્ષતામાં શહેર માર્ગ અને સલામતીની બેઠક યોજાઈ

તા.૧૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

વર્ષ ૨૦૩૦ સુધીમાં માર્ગ અકસ્માતોમાં થતા માનવમૃત્યુ પ્રમાણમાં ૫૦% સુધીનો ઘટાડવાનું લક્ષ્ય

Rajkot: પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને તાજેતરમાં શહેર માર્ગ અને સલામતીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટ્રાફિકને લગતા પ્રશ્નોમાં રાજકોટ શહેર વિસ્તારમા મુખ્ય પોઈન્ટ પરના સર્કલો નાના કરવા માટે રાજકોટ મહાનગર પાલિકાના દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ સર્કલો પર નવી ડિઝાઇન મુજબ કાર્યવાહી સત્વરે શરૂ કરાવવા અધ્યક્ષશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

આ સાથે નેશનલ હાઈ-વે ૨૭ ઉપર અવાર-નવાર ફેટલ માર્ગ અકસ્માત બને છે, જેમા હાલ સિક્સ લેનનુ કામ શરૂ કરવામા આવેલ હોય તથા ફેટલ વિઝિટ દરમ્યાન સૂચવેલ સુધારા મુજબની કાર્યવાહી સમય મર્યાદામા પૂર્ણ કરવા, રાજકોટ – જેતપુર તરફના તથા રાજકોટ – આટકોટ તરફના નવા થતા રોડના ડિવાઈડર ઉપર બંને સાઈડ ફેન્સીંગ (જાળી) લગાવવા ,સર્વિસ રોડની કામગીરી , માધાપર ચોકડી ખાતે જામનગર રોડ તરફ જતા વાહનો માટે સર્વિસ રોડ માટે જમીન સંપાદનની કામગીરી સત્વરે પૂર્ણ કરાવા શ્રી રાજુ ભાર્ગવે સંબંધિત વિભાગના લોકોને સૂચના આપી હતી.

આ સાથે બેઠકમાં અધ્યક્ષશ્રી દ્વારા બ્લેક સ્પોટ પર અકસ્માત ન થાય તે માટે સક્રિયતાથી કામગીરી કરી ટુંકા ગાળાના સુધારા સમય મર્યાદામાં પુરા કરવા તમામ વિભાગને સૂચના આપી, કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની સૂચના મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં માર્ગ અકસ્માતોમાં થતા માનવમૃત્યુ પ્રમાણમાં ૫૦% સુધીનો ઘટાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં સૌ વિભાગને ગંભીરતાથી અમલવારી કરવા જણાવાયું હતું.

વિવિધ વિભાગ દ્વારા રોડ સેફટી અંગે રોડ, રસ્તા, બ્રિજ સહિતની જગ્યાએ માર્ગદર્શક સાઈનેજીસ, રોડ એન્જીન્યરીંગ સહિતની કરવામાં આવેલી કામગીરી પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરાઈ હતી.

આ બેઠકમાં અધિક પોલીસ કમિશનર શ્રી વિધિ ચૌધરી, નાયબ પોલીસ કમિશ્નર શ્રી પૂજા યાદવ, ટ્રાફિલ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી જે.બી.ગઢવી, આર.ટી.ઓ. અધિકારી શ્રી કે.એમ.ખપેડ, શહેર માર્ગ સલામતી કમિટીના શ્રી જે.વી. શાહ, રૂડા, મહાનગરપાલિકા, આર.એન્ડ.બી., એન.એચ.એ.આઈ. એલ.એન્ડ.ટી., 108, ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીશ્રીઓ સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ જોડાયા હતાં.

[wptube id="1252022"]
Back to top button