BHARUCHGUJARATNETRANG

નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે આવેલ આશ્રમ શાળાની વન કુટીરનાં લોકાર્પણ તથા કિશાન શિબિર યોજાઈ.

ન કુટીરનાં લોકાર્પણ તથા કિશાન શિબિર યોજાઈ

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૬/૦૯/૨૦૨૩

 

નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે આવેલ આશ્રમ શાળાની વન કુટીરનાં લોકાર્પણ તથા ખેડુતોની આવકમાં વધારા સાથે પર્યાવરણની જાળવણી માટેની કિશાન શિબીરનું આયોજન કરવામાં આવ્યુ. આ વનકુટીરનું લોકાર્પણ ડૉ.શશીકુમાર IFS સુચી વન વર્તુળ – સુરતના તથા મહેમાનોના વરદ હસ્તે કરવમાં આવ્યુ.

 

આ કાર્યક્રમમાં સામાજીક વનીકરણ વિભાગ ભરૂચના ના.વ.સંરક્ષક. ઉર્વષીબેન પ્રજાપતિ, વિભાગના તમામ રેંજ ફોરેસ્ટ ઓફિસરો, ૧૨૦ થી પણ વધુ પ્રગતિશીલ ખેડૂતો- ગામનાં આગેવાનો સુરેશકુમાર જે. વિભાગકર – FPO ડિરેકટરોએ ગીરીશભાઇ પટેલ તથા અશ્વિનકુમાર માંગરોલા તથા રાજ્ય કક્ષા માજી વન મંત્રી  ખુમાનસિંહ વાંસીયા વગેરે ખાસ હાજર રહી કાર્યક્રમ દિપાવ્યો હતો.

 

આ શિબીરમાં FPO ડિરેક્ટર ગિરીશભાઇ પટેલ, અશ્વિનકુમાર માંગરોલા દ્વારા પોતાના અનુભવ તથા આવક વધારા અને પગભર થવા બાબતે મુદ્દાસર સમજ આપી. વન વિકાસ તથા વન વિસ્તરણ વનની આવરણ અને મહત્વની બાબતો વન વિભાગની વિવિધ યોજનાકીય માહિતી પુરી પાડી હતી તથા દેશ પ્રત્યે આપણે રૂણ અદા કરવા ઉપર ભાર મુક્યો હતો. આ પ્રસંગે ખુમાનસિંહ વાંસીયા માજી રાયકકક્ષાનાં વન મંત્રીએ વન સંપત્તિ ઉભી કરવા તથા દેશ માટે યોગદાન આપવા ઉપર ભાર મુકી જણાવ્યુ કે વૃક્ષોનું વાવેતર કરી ખેડુત આર્થિક પગભર – સધ્ધર થઇ શકે છે. વન વિસ્તરણ એ આપણી સામુહિક જવાબદારી છે. તેવુ જણાવ્યું હતું.

 

સામાજીક વનીકરણ વિભાગનાં નાયબ વન સંરક્ષક ઉર્ષાબેન પ્રજાપતિ એ સામાજીક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ તથા વાઇલ્ડ લાઇફ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડૉ. શશીકુમાર IFS દ્રારા ખુબ ગહન અને મનનીય બાબતો સમજાવી. ખેડુતો નિલગીરી- સાગ- સિસમ- વાંસ- ખેર તથા ફળાઉ ઝાડો વાવેતર કરે અને આર્થિક રીતે સક્ષમ થઇ શકે છે- પગભર થઇ શકે છે. તેઓએ ચાસવડ ગામ એ નેતૃત્વ પુરૂ પાડે તેવું ગામ છે. તેથી આ શિબીર આ ગામે રાખવામાં આવી છે. વન વિભાગની ખેડુતલક્ષી કિશાન નર્સરીઓ તથા અન્ય વિવિધ આવકમાં વધારો થાય એવી યોજનાઓની જાણકારી આપી હતી. ખેડૂત આર્થિક સધ્ધર – મજબુત અને પગભર થાય તે માટે સૌ ખેડુતો વૃક્ષોનું વાવેતર કરવા તરફ વળવા તેઓએ ભારપૂર્વક હાકલ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button