માય લિવેબલ ભરૂચ’ અંતર્ગત વાચકોનાં ચહિતા અને માનીતા સુપ્રસિદ્ધ લેખક અને વક્તા શ્રી જય વસાવડાનું પ્રેરક વ્યાખ્યાન

માય લિવેબલ ભરૂચ’ અંતર્ગત વાચકોનાં ચહિતા અને માનીતા સુપ્રસિદ્ધ લેખક અને વક્તા શ્રી જય વસાવડાનું પ્રેરક વ્યાખ્યાન
તરરાષ્ટ્રીય કક્ષાના શહેરમાં મળે તેવી તમામ સુવિધાઓ સાથે લવેબલ શહેર બનાવવાની નેમ વ્યક્ત કરતાં જિલ્લા ક્લેક્ટર શ્રી તુષાર સુમેરા
રસપ્રદ અનુભવો સાથે ‘આપણે આપણા એક ઉત્તમ નગરનું નિર્માણ ને જતન કેમ કરીશું’ વિશે વક્તવ્ય આપ્યુ
મારું શહેર,પ્યારું શહેરના અભિયાનને ભવ્ય પ્રતિસાદ
**ભરૂચ – રવિવાર – પ્રાચીન સંસ્કૃતિના મૂળ હોય ને આધુનિકતામાં ડાળીઓ મ્હોરે એવી વાતો… સાથે ખરેખર ઉપરોક્ત પંક્તિને સાચા અર્થમાં સાર્થક કરતી જિલ્લા વહીવટી તંત્રની અનોખી સી.એસ.આર. પહેલ માય લિવેબલ ભરૂચ’ અંતર્ગત ‘રહેવા માટે રળિયામણું ભરૂચ, વિષય પર જાણીતા લેખક અને વક્તા શ્રી જય વસાવડાના વક્તવ્યનું આજરોજ ભરૂચના પંડિત ઓમકારનાથ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરી ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ સાથે માય લેવલ ભરૂચનો ખેસ ધારણ કર્યો હતો.
આ પ્રસંગે, જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા ભરૂચને આંતરરાષ્ટ્રીય કક્ષાના શહેરમાં મળે તેવી તમામ સુવિધાઓ સાથે લવેબલ શહેર બનાવવાની નેમ
વ્યક્ત કરી ઉમેર્યું હતું કે, ઉત્કૃષ્ટ અને ઉદાહરણ રૂપ આપણું શહેર આપણે બનાવવાં જઈ રહ્યા છીએ. તેના થકી ભરૂચમાં રહેતા બાળકોથી લઇ વૃધ્ધ સુધીના તમામ લોકો ગૌરવ અનુભવે તેવા પ્રયાસો હાથ ધરાયા રહ્યા છે.
વધુમાં તેમણે માય લીવેબલ ભરૂચ અભિયાન અંગે રસપ્રદ વાતો કરી માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત લેખક શ્રી જય વસાવડાએ સરકારી તંત્રની આ પહેલને બિરદાવી સરકારી તંત્ર અને પ્રજા વચ્ચે સુમેળ અને સમનવ્ય હોવાનું કહી આમને સામને નહી પણ સાથ – સાથ હોવાથી મારું શહેર,પ્યારું શહેર ,સારું શહેર બનેશે તેમ કહી ખુશી વ્યક્ત કરતા પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત, જય વસાવડા એ તેમના પ્રવાસના રસપ્રદ અનુભવો સાથે ‘આપણે આપણા એક ઉત્તમ નગરનું નિર્માણ ને જતન કેમ કરીશું’ તે અંગે પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યુ હતું.
આ અનોખા પ્રસંગે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ખુમાન સિંહ વાંસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોષી, અધિક નિવાસી કલેકટર શ્રી એન. આર. ધાધલ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતામાય લિવેબલ ભરૂચ’ અંતર્ગત વાચકોનાં ચહિતા અને માનીતા સુપ્રસિદ્ધ લેખક અને વક્તા શ્રી જય વસાવડાનું પ્રેરક વ્યાખ્યાન
તરરાષ્ટ્રીય કક્ષાના શહેરમાં મળે તેવી તમામ સુવિધાઓ સાથે લવેબલ શહેર બનાવવાની નેમ વ્યક્ત કરતાં જિલ્લા ક્લેક્ટર શ્રી તુષાર સુમેરા
રસપ્રદ અનુભવો સાથે ‘આપણે આપણા એક ઉત્તમ નગરનું નિર્માણ ને જતન કેમ કરીશું’ વિશે વક્તવ્ય આપ્યુ
મારું શહેર,પ્યારું શહેરના અભિયાનને ભવ્ય પ્રતિસાદ
**ભરૂચ – રવિવાર – પ્રાચીન સંસ્કૃતિના મૂળ હોય ને આધુનિકતામાં ડાળીઓ મ્હોરે એવી વાતો… સાથે ખરેખર ઉપરોક્ત પંક્તિને સાચા અર્થમાં સાર્થક કરતી જિલ્લા વહીવટી તંત્રની અનોખી સી.એસ.આર. પહેલ માય લિવેબલ ભરૂચ’ અંતર્ગત ‘રહેવા માટે રળિયામણું ભરૂચ, વિષય પર જાણીતા લેખક અને વક્તા શ્રી જય વસાવડાના વક્તવ્યનું આજરોજ ભરૂચના પંડિત ઓમકારનાથ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરી ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ સાથે માય લેવલ ભરૂચનો ખેસ ધારણ કર્યો હતો.
આ પ્રસંગે, જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા ભરૂચને આંતરરાષ્ટ્રીય કક્ષાના શહેરમાં મળે તેવી તમામ સુવિધાઓ સાથે લવેબલ શહેર બનાવવાની નેમ
વ્યક્ત કરી ઉમેર્યું હતું કે, ઉત્કૃષ્ટ અને ઉદાહરણ રૂપ આપણું શહેર આપણે બનાવવાં જઈ રહ્યા છીએ. તેના થકી ભરૂચમાં રહેતા બાળકોથી લઇ વૃધ્ધ સુધીના તમામ લોકો ગૌરવ અનુભવે તેવા પ્રયાસો હાથ ધરાયા રહ્યા છે.
વધુમાં તેમણે માય લીવેબલ ભરૂચ અભિયાન અંગે રસપ્રદ વાતો કરી માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત લેખક શ્રી જય વસાવડાએ સરકારી તંત્રની આ પહેલને બિરદાવી સરકારી તંત્ર અને પ્રજા વચ્ચે સુમેળ અને સમનવ્ય હોવાનું કહી આમને સામને નહી પણ સાથ – સાથ હોવાથી મારું શહેર,પ્યારું શહેર ,સારું શહેર બનેશે તેમ કહી ખુશી વ્યક્ત કરતા પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત, જય વસાવડા એ તેમના પ્રવાસના રસપ્રદ અનુભવો સાથે ‘આપણે આપણા એક ઉત્તમ નગરનું નિર્માણ ને જતન કેમ કરીશું’ તે અંગે પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યુ હતું.
આ અનોખા પ્રસંગે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ખુમાન સિંહ વાંસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોષી, અધિક નિવાસી કલેકટર શ્રી એન. આર. ધાધલ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
વાત્સલ્યમ સમાચાર ભરૂચ જિલ્લા
મહેન્દ્ર ભાઈ મોરે રિપોર્ટર









