KALOL:મજૂરા અદાલત દ્વારા લુણાવાડાના શ્રમયોગીને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ

તારીખ ૦૮/૧૦/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
મહિસાગર જિલ્લાના લુણાવાડા મુકામે આવેલ ડોક્ટર જોસેબ જે રામપુરવાલા ની માલિકી ધરાવતી શિફા સર્જીકલ હોસ્પિટલ માં સન ૧૯૯૮ થી કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા જશવંતકુમાર લાલજીભાઈ બારોટ ને સંસ્થાએ કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય વર્ષ ૨૦૦૬ માં આઈડી એટલી કલમ ૨૫ એચ અને ૨૫ સેફ નો ભંગ કરી છુટા કરી દેતા શ્રમયોગી એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરે તે બાબતે હોસ્પિટલ ના લાગતા માલિકને ઔદ્યોગિક વિવાદ ધારા ૧૯૪૭ ની કલમ ૧૦/૧ હેઠળ પડેલા દિવસોના પગાર સાથે મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવાનો વિવાદ ઉપસ્થિત કરેલ જે વિવાદ મજુર અદાલત ગોધરા માં ચાલી જતા અરજદાર જશવંત એલ બારોટ તરફે પેનલ એડવોકેટ સીતેશ ભોઈ તથા વૈભવ ભોઈ હાજર રહી કેસ લગત હકીકતો પુરવાર કરતા મજુર અદાલતના પ્રમુખ અધિકારી હિતેશ એ મકા સાહેબ સંસ્થાએ આઈડી એટલી કલમ ૨૫ એચ અને ૨૫ એફ નો ભંગ કરી અરજદારને નોકરીમાંથી છૂટા કરેલા હોય તેમનું આ પગલું ખોટું અને ગેરવ્યાગી હોઇ અરજદારને તેમની મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવાનો આખરી આદેશ ફરમાવતા હોસ્પિટલના કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ છે









