RAJKOT

રાજકોટ જિલ્લામાં ૧૩ જુલાઈથી ૧૬ જુલાઈ દરમિયાન વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના

તા.૧૩/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં ૧૩ જુલાઇથી આગામી ૧૬ જુલાઇ દરમિયાન હુફાળું,ભેજવાળું, વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે.

૧૩ થી ૧૬ જુલાઈ દરમ્યાન છૂટાછવાયા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૩૨ થી ૩૩ ડિગ્રી સેલ્સીયસ અને રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સીયસ તેમજ લઘુત્તમ ભેજનું પ્રમાણ ૫૮ થી ૬૬ ટકા અને મહત્તમ ભેજનું પ્રમાણ ૭૮ થી ૮૨ ટકા રહેવાની સંભાવના છે. પવનની દિશા પશ્ચિમની રહેવાની ઝાટકા સાથે પવનની ઝડપ ૧૩ થી ૨૮ કી.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button