
તા.૧૦/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગ્રામ્ય સ્તરે વિવિધ સ્થળોએ સફાઈ ઉપરાંત ત્યાં ફરીથી ગંદકી ન થાય તે માટે ભીંતચિત્રો તૈયાર કરાવ્યા
Rajkot: સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ અનુસાર રાજ્યભરમાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં આ અભિયાન ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં ગામોગામ સફાઇ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓના અરડોઈ, વાગુદડ, પડવલા, કાંગશીયાળી, હડમતાળા સહિતના ગામોમાં વિવિધ પોઇન્ટ પરથી જમા થયેલ કચરો સાફ કરવાની કામગીરી કરવામાં આવી હતી. સફાઇ ઉપરાંત એક કદમ આગળ જઇને આ સ્થળોએ ફરીથી ગંદકી ન થાય તે હેતુથી દિવાલો પર સ્વચ્છતા જાગૃતિના સંદેશના ચિત્રો દ્વારા તેનું બ્યુટીફીશન કરવામાં આવ્યું છે, જેના થકી કચરાની જગ્યાએ”સ્વચ્છતા અપનાવો, બીમારી ભગાડો”, “હમ સબને યે ઠાના હૈ, ભારત સ્વચ્છ બનાના હૈ”, “મારું ગામ સ્વચ્છ અને સુંદર ગામ”, “મારું ગામ,કચરામુક્ત ગામ” જેવા સંદેશાઓ લોકોને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરશે.









