GUJARATJETPURRAJKOT

Rajkot: પી.ડી.યુ. હોસ્પિટલને મળ્યુ વધુ એક અંગદાનઃસ્વ. લીલાબેન ચંદ્રકાંતભાઇ સગપરીયાના પરિવારજનોએ કર્યુ અંગદાન

તા.૬/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સ્વ. લીલાબેન ચંદ્રકાંતભાઇ સગપરીયા ગત તા ૪ નવેમ્બર-૨૦૨૩ના રોજ અવસાન પામતાં જેથી તેમના પરિવારે તેમના પાર્થિવ શરીરનું અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો, અને તેઓએ પી.ડી.યુ. હોસ્પિટલમાં અંગદાન કર્યુ હતું. જે જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી થશે.

આ અંગદાનથી સ્કિન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓની ઝડપથી રિકવરી થશે, તથા ટ્રોમા દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ ઉપયોગ કરી શકાશે. અંગદાન, રક્તદાન સાથે સાથે હવે સ્કિન ડોનેશનમાં પણ ખુબ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, લોકોમાં આ બાબતે જાગૃતી આવી રહી છે જે ખૂબ જ પ્રશંસનીય

પી.ડી.યુ. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી અને રાજકોટનાં પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડાશ્રી ડો. મોનાલી માકડીયા, સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે પ્રત્યનશીલ છે. તેમ પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

[wptube id="1252022"]
Back to top button