GIR SOMNATHKODINAR
Kodinar : કોડીનાર ના મુળ દ્વારકા ગામના દરિયા કાંઠે “ગંદકી મુકત ભારત અભિયાન ” અંતર્ગત શિબિર યોજાઇ.

તાલુકા કાનુની સેવા સમિતિ, ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ,સાગર ફાઉન્ડેશન કોડીનારના સયુંકત ઉપક્રમે મુળ દ્વારકા ગામના દરિયા કિનારા પર પડેલ બિન ઉપયોગી કચરાને એકત્રીત કરવામાં આવ્યો. તેમજ સંસ્થાના સેવકો દ્વારા શ્રમદાન દ્વારા સ્વચ્છતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું તેમજ સ્વછતા એ દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે.તેમજ આપણી આસપાસના પ્રયટક સ્થળોની જાળવણી તેમજ રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે.તેમજ “સ્વચ્છ ભારત”” સુંદર ભારત” એ સુત્ર સાથક કરશું.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ.પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી પ્રો.ડો શ્રી રામભાઇ વાઢેર અને સાગર ફાઉન્ડેશન ના પ્રમુખ ફિરોજલુચાની તેમજ લોકો હાજર રહ્યા હતા.
[wptube id="1252022"]