NATIONAL

ઘાસચારા કૌંભાડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિત 52 દોષિતોને 3 વર્ષની સજા

બહુચર્ચિત ઘાસચારા કૌભાંડના ડોરંડા કોષાગાર મામલે રાંચીમાં CBIની વિશેષ કોર્ટે સોમવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ મામલે સાક્ષીના અભાવમાં 35 લોકોને મુક્ત કર્યા છે. જ્યારે 53 લોકોને 3 વર્ષની સજા સંભળાવી છે. અન્ય આરોપીઓ પર સુનાવણી ચાલુ છે. કુલ 124 આરોપીઓ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. આજે આપેલા ચુકાદામાં પૂર્વ ધારાસભ્ય ગુલશન અજવાનીને 3 વર્ષની સજા સંભળાવામાં આવી છે.

આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે સંબંધિત ‘ઘાસચારા કૌંભાડ’ના પાંચ કેસ સહિત કુલ 53 મામલાની સુનાવણી CBI કોર્ટમાં પૂરી કરી દેવામાં આવી છે. 52 કેસમાં કોર્ટ પૂર્વમાં પોતાનો નિર્ણય આપી ચૂકી છે. ડોરંડા કોષાગાર મામલે 27 વર્ષોથી સુનાવણી ચાલી રહી છે.

આ મામલે 616 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. CBIએ આ મામલે કુલ 192 આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને હજુ ટ્રાયલ ફેસ કરનારા આરોપીઓની સંખ્યા 124 છે. આ દરમિયાન 62 આરોપીઓના નિધન પણ થઈ ચૂક્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button