
લોકશાળા અને આશ્રમશાળા ધજાળા ના 300 થી વધુ બાળકોને ભોજન કરાવી પુત્રી ના જન્મદિવસની ઉજવણી કરતા માતા-પિતા.
સાયલા-ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.કે.ઇશરાણી સાહેબના પુત્રી જીયાબેન ના જન્મદિવસની ઉજવણી ધજાળા લોકશાળા તેમજ આશ્રમશાળાના બાળકોને ભોજન કરાવી સાદગી પૂર્ણ ઉજવણી કરવામાં આવી. આ કાર્યમાં ધજાળા પીએસઆઇ ગઢવી સાહેબ,શાળા સંચાલક સંજયભાઈ મકવાણા,ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચારપત્ર ના તંત્રી કિરીટભાઈખવડ,શાળાના ટ્રસ્ટી કરશનભાઈ રાઠોડ,રાવતભાઈ બડમલિયા તેમજ ધજાળા પોલીસ સ્ટેશન સ્ટાફ સેખાભાઈ| રોજીયા, ઉદયભાઈ ભાંભળા હાજર રહ્યા હતા.ત્યારે ૫ ઓગસ્ટના રોજ શાળાના 300 બાળકોને ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો અને આગામી વર્ષોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી સફળતાના શિખરો સર કરે તેવી ઝાલાવાડ ની વાત અને તેઓના મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
(સાયલા)
[wptube id="1252022"]





