BHARUCHNETRANG

નેત્રંગ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

નેત્રંગ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજા

 

આગામી મોહરમના અને દશામાં વિસર્જન લઈને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરાયું.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

 

નેત્રંગ તાલુકાના પોલીસ મથકે આગામી મોહરમ ના તહેવારને અને દશામાં વિસર્જન લઈને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ પોલીસ મથકના પી.એસ.આઈ કે.એન.વાઘેલાની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાયદો અને વ્યવસ્થા બાબતે નેત્રંગ પોલીસ મથકના પી.એસ.આઈ કે.એન.વાઘેલા દ્વારા આગેવાનોને જરૂરી સુચનાઓ આપી હતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે દરેક ને ખાસ સૂચનાઓ આપવામાં આવી. તહેવારોની ઉજવણી શાંતિમય માહોલમાં તેમજ કાયદામાં રહીને કરવાની ખાસ તાકિદ કરવામાં આવી હતી. આ બેઠકમાં નેત્રંગ પોલીસ મથક વિસ્તારના આગેવાનો એ હાજરી આપી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button