BANASKANTHAPALANPUR

બેંક ઓફ બરોડા જગાણા શાખાના મેનેજરની બદલી થતાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

16 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના જગાણા ખાતેની બેંક ઓફ બરોડામાં છેલ્લા બે વર્ષથી પ્રશંસનિય સેવા બજાવતા મેનેજરશ્રી મહાવીરસિંહ રાઠોડ બેંકનો દશ વર્ષનો અનુભવ ધરાવે છે.તેઓ જયપુરના વતની હતા. તેઓની ઉત્તમ કામગીરીથી ગ્રામજનો ખુશ હતા તેમની બદલી થતાં જગાણા બેંકમાં વિદાય સન્માન રાખવામાં આવ્યો હતો. શાલ,અને શ્રીફળ તેમજ માતાજીની મૂર્તિ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી. આ વિદાય પ્રસંગે ભેમજીભાઇ ચૌધરી, રતીભાઈ લોહ,ગણેશભાઇ ચૌધરી, દિલીપભાઇ કરેણ,વગેરે ગામના અગ્રણીઓ હાજર રહયા હતા

[wptube id="1252022"]
Back to top button