KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ હાલોલ વચ્ચેથી પસાર થતી નર્મદાનહેરમાં ગાબડાં પડ્યાં.

તારીખ ૨ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

ખેડૂતોની જીવાદોરી એવી નર્મદાકેનાલ ગુજરાતના અનેક ગામડાઓમાં થી પસાર થાય છે. જેના કારણે અનેક ખેડુતો પણ સિંચાઈ નાં કારણે પગભર થયાં છે. નર્મદાનહેરનાં પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લઈ અનેક સૂકી જમીન પર હાલ હરિયાળી જોવા મળી રહે છે.જેથી ખેડુતોનાં અનેક પરિવારો માટે લાભદાયી પણ છે. પરંતુ હાલ કાલોલ શક્તિપુરા ગેટ થી હાલોલ રાજપુર પાસે આવેલા ગેટ વચ્ચે બે મસમોટા ગાબડાંનું સર્જન થયું છે. કાલોલ હાલોલ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં અવાર નવાર ગાબડાં જોવા મળતા હોય છે. તંત્રની લાપરવાહી ને કારણે ખેડુતો અને નજીકમાં રહેતાં રહીશો તેમજ સાઈડ પરના રોડ પરથી પસાર થતાં અનેક મુસાફરો માટે પણ જોખમ ઉભું થઈ શકે છે. ૨૬૮૩ કયુંસેક્સ પાણીને પ્રતિ મિનિટમાં ૧૦૦ મીટર વહન કરવાનો ફોર્સ ધરાવતી અને બંને તરફ ઊંડા સ્લોપ હોવાથી કેનાલની બંને તરફ ઓછી પહોળાઈ ધરાવતી દિવાલો વાળી આ કેનાલની દિવાલોના સ્લેબમાં અનેક ઠેકાણે મોટા મોટા ગામડાઓ પડી જતા કેનાલના પાળો ધોવાઈ જવાનો પણ ભય ઊભો થયો છે. ઉલ્લેખનીય એ છે કે કેનાલની બંને સાઈડો પર રોડ આવેલો છે અને આ રોડ પરથી રાતદિવસ વાહન વ્યવહાર ધમધમતો રહે છે. જો પાણીના વધુ પ્રવાહથી ગાબડામાં પાણીનો પ્રવાહ વધે તો સાઈડ પરના રોડની નીચે ગાબડું પડે તો મોટો અકસ્માત પણ સર્જાય શકે છે. જો પાણી વહીને આસપાસ ફરી વડે તો નજીકમાં વસવાટ કરતાં પરિવારો અને ખેડૂતોનાં ખેતરોમાં ફરી વડે તો ખેડૂતોને પણ નુકશાન સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. નર્મદા નિગમનાં કર્મચારીઓ અને અધિકારીઓ નાં સતત પેટ્રોલિંગ પછી પણ નર્મદા કેનાલમાં પડેલા મસમોટા ગાબડાંઓ કર્મચારી કે અધિકારીઓનાં ધ્યાને કેમ નથી આવી રહ્યાં ? કે અધિકારીઓ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યાં છે.

[wptube id="1252022"]
Back to top button