અંબાજી ગ્રામજનો વેરો નહી ભરે તો મિલ્કત જપ્તી અને વીજ કનેકશન કાપતા પહેલા એક વેરા વસુલાત માટે અઠવાડીક ઝુંબેશ નું આયોજન કરેલ

12 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગ્રામ પંચાયત અંબાજી ધ્વારા મિલ્કતવેરા, વ્યવસાયવેરો તથા ખારાપાણીવેરાની મોટી બાકી વસુલાત લાંબા સમયથી બાકી બોલે છે જેની સામે બાકીદારોને પંચાયત ધ્વારા ત્રણ નોટીસ આપવામાં આવેલ છે. જેના લીધે પંચાયતમાં છેલ્લા દશ/બાર દિવસથી રોજની સરેરાશ એક લાખ રૂપિયાની વસુલાત ચાલુ થયેલ છે. પંચાયત ધ્વારા હવે બાકીદારોને મિલ્કત જપ્તી કે વીજ કનેકશન કાપવા સુધીની ચીમકી આપવામાં આવેલ છે. એટલુજ નહી આયોજન અધિકારી સહ દાંતા તાલુકા વિકાસ અધિકારી સાહબશ્રી, તાલુકા પંચાયત ધ્વારા મિલ્કત જપ્તી અને વીજ કનેકશન કાપતા પહેલા એક વેરા વસુલાત માટે અઠવાડીક ઝુંબેશ નું આયોજન કરેલ છે જેમાં તાલુકા કક્ષાએથી અંબાજી ખાતે ટીમ મોકલી વૈરાની કડક વસુલાત કરવા આયોજન કરેલ છે.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે ગામના બાકીદારોના હિતો ને ધ્યાને લઈ અને પેનલટી માંથી મુકતિ મળે તે હેતુસર મિલ્કતવેરો, ખાસ પાણીવેરો, વ્યવસાયવેરો અને દુકાનભાડા ફકત રોકડેથી તા. ૧૨/૦૪/૨૦૨૩ સુધી પંચાયતમાં જુના હિસાબી વર્ષમાં વસુલ કરવામાં આવશે ત્યાર બાદ કોઈપણ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી. અને નિયમોનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે નાણાંભરી પેનલ્ટી થી બચવા વેરાની ભરપાઈ કરી જવા પંચાયત ધ્વારા જણાવવામાં આવ્યુ છે