KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના ડેરોલ ગામ ખાતે કામધેનુ ગૌશાળા દ્વારા પ્રાયોજીત પ્રજ્ઞા પુરાણ કથા નું આયોજન

તારીખ ૭ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

આગામી શનિવારે કાલોલ તાલુકાના ડેરોલ ગામ ખાતે પ્રજ્ઞા પુત્રી જ્યોતિબેન દરજી મુ.વાસણા તા.બોરસદ દ્વારા પાંચ દિવસની શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા નું આયોજન કાલોલ ની શ્રી કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ કથામાં કોરોના કાળમાં દિવંગત પામેલા આત્માઓના મોક્ષાર્થે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાના મુખ્ય યજમાન તરીકે ડોક્ટર અશોકભાઈ મોતીભાઈ પટેલ છે.કથાનો સમય બપોરના ૧૨:૦૦ થી ૪ કલાક સુધીનો રાખવામાં આવેલ છે કાર્યક્રમના સહયોગી તરીકે બ્રહ્માકુમારી પરિવાર,સ્વામિનારાયણ મંડળ, નવરાત્રી ગરબા ઉત્સવ સમિતિ,સુંદરકાંડ પરિવાર,કાલોલ ના ગાયત્રી પરિવાર ,લાઈફ મિશન પરિવાર,દરજી જ્ઞાતિ મંડળ,માઈ મંડળ નીશ્રા કૈવલ મંડળ જેવા કાલોલ અને ડેરોલ ગામના સંગઠનો છે.

[wptube id="1252022"]
Back to top button