ડો.નરેન્દ્ર વ્યાસ ની પાંત્રીસી સમાજના સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી

21 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાત્રીસી સમાજની કારોબારી દ્વારા સલાહકાર કમિટીમાં સમાજરત્ન સમા ડૉ. નરેન્દ્રભાઈ વ્યાસ ની વરણી કરવામાં આવી છે. આ અંગેનો પત્ર તેમને સમાજના પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈ જોશી, ટ્રસ્ટના ચેરમેન સન્માનનીય શ્રી મણીભાઈ રાવલ, ઉપપ્રમુખશ્રી અમૃતભાઈ પંડ્યા,મહામંત્રી શ્રી પ્રબોધભાઈ વ્યાસ, કારોબારી સભ્ય શ્રી વિનોદભાઈ વ્યાસ દ્વારા ડીસા ખાતે આપવામાં આવ્યો. આ પ્રસંગે ડો કુંજ નરેન્દ્રભાઈ વ્યાસ પણ હાજર રહ્યા હતા.ડો. નરેન્દ્રભાઈ વ્યાસ મગરવાડા ગામના વ્યાસ પરિવાર ના રત્ન સમાન ગણવામાં આવે છે.તેમના દ્વારા મગરવાડા ખાતે સામાજિક સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પણ તેમણે સમૂહ ભોજન દાતા તરીકે અગાઉ પણ ઉમદા સેવા ફરજ નિભાવી હતી.સાથે તેઓ તબીબી ક્ષેત્રના તજજ્ઞ હોવાથી સમગ્ર સમાજના હિતચિંતક રહી સમાજની દરેક વ્યક્તિ સાથે લાગણી રાખી યોગ્ય સમયે મદદરૂપ થયા છે.



