છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા નાં અનેક સ્થળોએ દિપડા નાં પગેરુ જોવાં મળે છે. જેમાં આજે સાયલાના કંસાળા ગામની સીમમાં દીપડો જોવા મળ્યો હતો. વિપુલભાઈ મારુણીયા જે ટ્રેક્ટર લઈ સીતાગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારબાદ અચાનક બપોરના સમયે કંસાળા ગામની સીમમાં
દીપડો જોવા મળ્યો હતો. આ સમાચાર અંગે આજુબાજુના રહીશોને જાણ થતા તેઓમાં ભય નો માહોલ ફેલાયો હતો. આ સમગ્ર ઘટનાને જાણ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. લોકોનુ કહેવુ છે કે અહીંનાં લોકો પશુઓ અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેમાં લોકોની માંગ છે કે આ દિપડાને પાંજરું મુકી પકડી પાડવામાં આવે. અને દિપડો પશુઓ તેમજ લોકોનો મારણ કરશે તો જવાબદાર કોણ ?જેથી તાત્કાલિક વન વિભાગ ની ટીમ દ્વારા આ દિપડા પર ઝડપથી પગલાં લેવામાં આવે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
[wptube id="1252022"]