GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: વિછીયા માર્કેટિંગ યાર્ડના ખેડૂતભાઈઓએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા

તા.૨૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકશાહીના મહાયજ્ઞમાં દેશભરમાંથી લોકો સહભાગી બને તે માટે ઠેર ઠેર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. ૭૨-જસદણ વિધાનસભા મતવિસ્તારના વિછીયા તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. જેમાં યાર્ડના ખેડૂતોને મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરાયા હતા. તથા ખેડૂતભાઈઓને અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

[wptube id="1252022"]








