
દિલ્હી એન .એચ આર.સી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર વિજાપુર હીરપુરામાં NQAS નેશનલ લેવલ એસેસમેન્ટ પૂર્ણ કરાયું.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફ્લુ નાં આયુષ્માન આરોગ્ય મંદિર હીરપુરા ખાતે એન.એચ.આર.સી. ટીમ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેસાણા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મહેસાણા નાં માર્ગદર્શન હેઠળ NQAS નેશનલ લેવલ એસેસમેન્ટ વિજાપુર તાલુકાના પ્રા.આ.કેન્દ્ર ફ્લુ નાં આયુષ્માન આરોગ્ય મંદિર હીરપુરા મુકામે તા.૨૪/૦૪/૨૦૨૪ નાં રોજ નેશનલ લેવલના NQAS એસેસર ડો.કનુપ્રિયા તેમજ ડો.પ્રેમકુમાર બજાજ. દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું.હતુ આ આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર માં સગર્ભા માતાની પ્રસુતિ તથા પ્રસુતિ પછીની સાર-સંભાળ ,નવજાત શિશુ અને એક વર્ષ થી નાના બાળક ની આરોગ્ય સંભાળ , રસીકરણ સહીત બાળ સંભાળ અને કિશોર અને કીશોર્રીઓને પુરતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણ ને લગતી સેવાઓ તેમજ તેને લગતી સેવાઓ તેમજ સામાન્ય બીમારીના ઉપચાર ,રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ નું સઘન સંચાલન જેમાં સંચારી અને રોગચાળા સંબધિત પ્રોગ્રામ ડાયાબીટીસ ,હાયપરટેન્શન ,કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ ડીસીઝ (બિન સંચારી) રોગોનું નિદાન તેમજ સુવ્યવહાર સારવારો ઉપલબ્ધ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મહેશ કાપડીયા સાહેબશ્રી દ્વારા જણાવવામાં આવેલ. આયુષ્માન આરોગ્ય મંદિર હીરપુરા મુકામે ક્વોલિટી મેડીકલ ઓફિસર ડો.રાહુલ ચૌધરી ,તાલુકા હેલ્થ ઓફિસર,વિજાપુર ડો.ચેતન પ્રજાપતિ , મેડીકલ ઓફિસર પ્રા.આ.કેન્દ્ર ફ્લુ તેમજ પ્રા.આ.કેન્દ્ર ફલુ નો સ્ટાફ આયુષ્માન આરોગ્ય મંદિર હીરપુરા નાં CHO ,ફિ.હે.વ.,મ.પ.હે.વ.,આશા અને આશા એફ હાજર રહ્યા હતા.