ડેડીયાપાડા ખોખરાઉમરના વિસ્તારમાં દીપડા થી ગ્રામજનો ભયભીત, વનવિભાગને જાણ થતાં પીંજરા મુકી દેવાયા,

ડેડીયાપાડા ખોખરાઉમરના વિસ્તારમાં દીપડા થી ગ્રામજનો ભયભીત, વનવિભાગને જાણ થતાં પીંજરા મુકી દેવાયા,
વાત્સલ્ય સમાચાર
જેસીંગ વસાવા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખોખરાઉમરના ગામની આજુબાજુ ખેતરોમાં અવારનવાર વન્ય પ્રાણી દીપડો દેખાયાના અનેક ફોટો વિડિયો વાયરલ થતા હોઈ છે ત્યારે ખોખરાઉમરના સીમાડા ના ખેતરોમાં કુતરાઓને ફાડી ખાધેલી હાલતમાં દેખાયેલા હતા જેની જાણ ગામના જાગૃતિ યુવાનોએ તેમજ ખેડૂતો દ્વારા જંગલ ખાતાના અધિકારીઓને જાણ કરતા તાત્કાલિક ધોરણે જંગલ ખાતું એક્શન મુડમાં આવી વન્ય પ્રાણી ( ડીપડા ) ને પકડવા માટેના પાંજરાઓ મૂકવામાં આવ્યા સાથે પુષ્ટિ કરવા માટે નાઈટ વિઝ્યુલ કેમેરા મૂકવામાં આવ્યા છે તેમાં એક દિપડો કેમેરામાં કેદ થયો છે, જેના પરથી પુષ્ટિ થઈ શકે છે આ વિસ્તારમાં દિપડો હોવાની લોક ચર્ચા સાચી સાબિત થઈ છે.
જ્યાં સુધી જંગલખાતાના સીકંજામાં ડીપડો નહીં આવે ત્યાં સુધી લોકોએ સાવચેતી અને સજાગ થવુ જરૂરી છે,જેમ કે ઉનાળાના ગરમીના કારણે ઘરની બહાર સુતા લોકો એ સજાગ રહેવાનુ એ જરૂર છે, ખેડૂતોના પશુઓ બહાર બાંધેલા હોય જેની દેખભાળ રાખવું જરૂરી બન્યું છે, ડેડીયાપાડા થી ખોખરાઉંમર રોડ પરથી પસાર થતા અવર જવર રાહદારીઓ અને રસતે જતા વિદ્યાર્થીઓ પોતાના સલામતી માટે સજાગ રહેવું ખઊખજ જરૂરી છે,