GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સ્વિપ અંતર્ગત રાજકોટના મતદારને જાગૃત કરાયા

તા.૧૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધારવા ચૂંટણીતંત્ર દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા

Rajkot: લોકતંત્રમાં મતદાતા જ પાયાનો ધટક છે. લોકતંત્ર એટલે લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા છે. જેમાં ભાગ લેવા તમામ નાગરીકનો હક્ક છે. તેમાં સાચા અને સારા વ્યક્તિને તટસ્થ અને નિર્ભીક રીતે મતદાન કરીને લોકશાહીને વધુ મજબુત બનાવવી જોઈએ. તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે….

જે અન્વયે ૭૧-રાજકોટ (ગ્રામ્ય) વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ લોધિકા તાલુકાના ખાંભા ગામ ખાતે આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોની માતાઓ તથા આસપાસમાં વસવાટ કરતી મહિલાઓને એકત્રિત કરીને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, સુપરવાઈઝર અને આંગણવાડી બહનો દ્વારા મતદાન અપીલ માટે હાથમા મેંહદી મુકવામાં આવી હતી તથા મતદાન અચુક કરવા માટે શપથ લેવડાવ્યા હતા.

૭૪- જેતપુર વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ આંગણવાડીની બહેનો દ્વારા તેમના કાર્યક્ષેત્રમાં આવતા મત વિસ્તારના લોકો મહત્તમ પ્રમાણમાં મતદાન કરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે તેમજ મતદાનની પાત્રતા ધરાવતા ઘરના સભ્યો મતદાન કરે તે અંગે સમજૂતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, ઉપલેટા તાલુકાના ઢાંક અને કોલકી ગામે આંગણવાડી ખાતે મતદાન જાગૃતી કાર્યક્ર્મ અને મતદાનનું મહત્વ સમજાવીને આગામી ચૂંટણીમાં અચુક મતદાન કરવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button