તા.૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સી-વિજિલ ઉપર ૪૨, એમ.સી.સી. ટોલ ફ્રી પર ૧૪ અને ૧૯૫૦ ટોલ ફ્રી પર ૬ ફરિયાદો નોંધાઈ
Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણી યોજવા તંત્ર સતત કાર્યરત છે. જેમાં આદર્શ આચારસંહિતાને લગતી ફરિયાદોના નિવારણ માટે તંત્ર ત્રિવિધ રીતે કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ૧૬મી માર્ચથી લઈને અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી ૬૨ ફરિયાદોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબર પર ૬૯ – રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાંથી ૦૩, ૭૦ – રાજકોટ દક્ષિણમાંથી ૦૫, ૭૧ – રાજકોટ ગ્રામ્યમાંથી ૦૨, ૭૨ – જસદણમાંથી ૦૨, ૭૫ – ધોરાજીમાંથી ૦૧ તથા અન્ય ૦૧ મળીને ૧૪ ફરિયાદો મળી હતી. જ્યારે જિલ્લા સંપર્ક કેન્દ્ર – ૧૯૫૦ હેલ્પલાઈન નંબર પર ૬૮ – રાજકોટ પૂર્વમાંથી ૦૧, ૭૧ – રાજકોટ ગ્રામ્યમાંથી ૦૩, ૭૪ – જેતપુરમાંથી ૦૨ મળીને ૦૬ ફરિયાદો મળી હતી. તેમજ સી-વિજિલ પર સૌથી વધુ ફરિયાદો મળી છે. જેમાં ૬૮ – રાજકોટ પૂર્વમાંથી ૦૩, ૬૯ – રાજકોટ પશ્ચિમમાંથી ૧૧, ૭૦ – રાજકોટ દક્ષિણમાંથી ૦૩, ૭૧ – રાજકોટ ગ્રામ્યમાંથી ૧૧, ૭૨ – જસદણમાંથી ૦૧, ૭૩ – ગોંડલમાંથી ૧૧, ૭૪ – જેતપુરમાંથી ૦૨ મળીને ૩૪ ફરિયાદો મળી હતી. આ તમામ ફરિયાદોનું ગણતરીના સમયમાં નિવારણ કરવામાં આવ્યું છે.








