GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના જાતી આધારિત ઓછું મતદાન ધરાવતા વિવિધ ગામોમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા

તા.૩/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ‘કોઈ મતદાર છૂટે નહિ’ સુત્રને સાર્થક કરવા અને સર્વસમાવેશી મતદાન થાય તે માટે સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં નેતૃત્વ હેઠળ વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુસંધાને ૭૧ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી વિમલ ચક્રવર્તીનાં માર્ગદર્શન અનુસાર ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના પુરૂષ મતદારો અને સ્ત્રી મતદારોના મતદાનમાં ૧૦% થી વઘારે તફાવતવાળા મતદાનમથકોમાં સુધારો થાય તે માટે મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં.

કોટડાસાંગાણી તાલુકાના અનીડા, સતાપર તેમજ આ જ મતવિસ્તારના વાછરા અને શાપર ગામોમાં પુરૂષ-સ્ત્રી મતદારોના મતદાનમાં વધુ તફાવતવાળા મતદાન મથકના બી.એલ.ઓ. તથા તે વિભાગનાં સુ૫રવાઇઝરશ્રીઓનાં સંકલન અને ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિના કાર્યક્રમ અંતર્ગત મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. પુરુષ મતદારોને પણ પોતાના પરિવારના મહિલા સભ્ય ખાસ મતદાન કરે તે જોવા માટે જાગ્રત કરવામાં આવ્યા હતા. કપાળ પર બિંદીની જેમ મતદાનનું આંગળી પરનું શાહીનું નિશાન પણ સ્ત્રીની શોભા છે તેવા અભિગમથી મહિલા મતદારોની ભાગીદારી વઘે તે માટે વહીવટીતંત્ર દ્વારા સરાહનીય પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button