GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા ના નિવેદનની વિરુદ્ધ મામલતદારને આવેદન પત્ર

તારીખ ૨૮/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આગામી લોકસભા ચૂંટણીના લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરસોત્તમભાઈ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમ માં ક્ષત્રિય રાજપૂત સમાજ ની વિરુદ્ધ અપમાન જનક ઉચ્ચારેલા નિંદનીય નિવેદન કરી સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાવેલ છે ત્યારે કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આજરોજ મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું .ગુજરાત ભાજપના કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના બિનજવાબદાર નિવેદનના ગુજરાતમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. રૂપાલાનાં આ નિવેદનો સામે સમગ્ર ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. આવા નિવેદન વિરુદ્ધ હાલ ઠેર ઠેર આવેદન આવેદન પત્રો અપાઈ રહ્યા છે. કાલોલ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્રમાં ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે વાસ્તવમાં ક્ષત્રિય રાજપૂત સમાજે ભારત દેશની એકતા અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી ૫૬૨ જેટલા રજવાડા દેશને સમર્પિત કરી દીધા હતા જેમાં ગુજરાતના તમામ રજવાડાઓનો પણ સમાવેશ થાય છે આ સમાજે દેશને લોકશાહી માટે દેશને એક બનાવવામાં અખંડ ભારતના નિર્માણમાં મહત્વનુ યોગદાન આપેલ છે ભારતની લોકશાહી માટે આ તમામ રજવાડાઓએ પોતાના રજવાડાઓ દેશને સમર્પિત કરી દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનો અમૂલ્ય વારસો દેશને સમર્પિત કરી દીધેલ છે. દેશની આઝાદી અને લોકશાહી માટે આટલુ મોટો યોગદાન આપવા છતાં ચૂંટણીના સમયે માત્ર મત મેળવવા, મતદારોને લોભાવવા માટે વિવાદાસ્પદ અને બિનજરૂરી નિવેદનો કરી ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી સાથે ચેડાં કરેલ છે જેનો રોષ સમગ્ર રાજપૂત સમાજમાં વ્યાપી ગયેલો જોવા મળે છે આવા બિનજરૂરી ગેર વ્યાજબી જાતિવાદી નિવેદન સામે ક્ષત્રિય સમાજ સખત વિરોધ નોંધાવી સમાજમાં વિસંવાદિતા ફેલાવતા આવા નિવેદનો કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવા ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે.આવેદન આપવાના આ ઘટનાક્રમમાં સ્થાનિક ક્ષત્રિય આગેવાનો પક્ષા પક્ષીનું રાજકારણ છોડી સમાજકારણ માટે એકજૂથ જોવા મળ્યા હતા.મહત્વ પૂર્ણ છે કે તાજેતરમાં રૂખી સમાજના એક કાર્યક્રમમાં ભારતના ગુલામી કાળમાં તત્કાલિન રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજે અંગ્રેજો સાથે રોટી – બેટી વ્યવહાર કર્યો હતો એ મતલબના રૂપાલાના ભાષણો પર રાજ્યનો ક્ષત્રિય સમાજ ખફા થયો છે. આગેવાનો એ આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રની આઝાદીના માર્ગે ક્ષત્રિય રાજાઓ અને શૂરવીરોનું યોગદાન સુવર્ણ અક્ષરે લેખાઈ રહ્યું છે ત્યારે રૂપાલા ઈતિહાસને તોડી મરોડીને મતોનું રાજકારણ ખેલી રહ્યા છે. અલબત્ત, આ સમગ્ર મામલે રૂપાલાએ માફી માંગી લીધી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા તરફે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિડિયો દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મારો આશય કોઈપણ રાજવી પરિવાર કે કોઈપણ સમાજના લોકોને નીચા પાડવાનો ન હતો તેમ છતાં કોઈની પણ લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું. તેમ છતા પણ સમગ્ર ગુજરાત મા ક્ષત્રિય સમાજ રૂપાલા વિરૂદ્ધ આવેદનપત્રો આપી તેમની ટિકિટ રદ કરવા સુઘી ની માંગ કરી રહેલ છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button