BHARUCHGUJARATNETRANG

વાલિયા : કરા યુવક મંડળ દ્વારા ગ્રામીણ રાજપૂત સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરાયું…

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૦/૦૩/૨૦૨૪

 

ભરૂચ અને સુરત જિલ્લાના તાલુકાઓમાં વસતા રાજપૂત સમાજ ની વસ્તી ધરાવતા ૨૨ જેટલા ગામના યુવાનો ભેગા થઈ એક બીજા થી પરિચિત થાય અને ખેલ ભાવના વધે તેવા ઉદ્દેશ્ય સાથે વાલિયા તાલુકાના કરા ગામના સંદીપ કોસમિયા, રણજીતસિંહ ખેર, હિતેન્દ્રસિંહ કોસમિયા, ભૂમિરાજસિંહ કોસમિયા, યોગેશ કોસમિયા તેમજ ગામના નવ યુવાનોના સહકાર થી આ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે.

 

૧૫ દિવસ સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાના માંગરોળ ગામ ખાતે આવેલ બાબત સપોર્ટ ગ્રાઉન્ડ પર ૧૪મી માર્ચ થી આ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જેનું ભરૂચ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના પ્રમુખ અને એ.પી.એમ.સી વાલીયાના ચેરમેન યોગેન્દ્રસિંહ મહીડા, વટાડિયા સુગરનાં ચેરમેન મહેન્દ્રસિંહ (ટીના) મહીડા ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે યોગેન્દ્રસિંહ મહીડાએ જણાવ્યું હતું કે યુવાનોએ અને સમાજે કેમ ભેગા થવું જોઈએ… રમત અને ક્રિકેટમાં યુવાનો કઈ રીતે આગળ વધે ખેલ ભાવના કેવી હોવી જોઈએ એવું અનેક પ્રકારનું માર્ગ દર્શન આપવામાં આવ્યું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button