GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ નો ૧૩ મા વાર્ષિક પાટોત્સવ ની ઊજવણી નિમિત્તે ભવ્ય શોભયાત્રા નીકળી.

તારીખ ૦૪/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી સ્વામી નારાયણ મંદિર કાલોલ ખાતે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ નો ૧૩ મો વાર્ષિક પાટોત્સવ તેમજ શ્રીલાલજી ભગવાનનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ સોમવારના રોજ ધર્મકુળ આશ્રિત કાલોલ સત્સંગ સમાજ વતી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વડતાલ થી પ.પુ. ૧૦૮ લાલજી શ્રી પુષ્પેન્દ્ર મહારાજ શ્રી તેમજ પુ.સર્વમંગલ સ્વામી તથા પુ .ભક્તિ નંદન સ્વામી તથા પાર્ષદ રાજુ ભગત ઉપસ્થિત રહ્યા હતા.મંગલા આરતી, મહાપૂજા અભિષેક દર્શન બાદ મુખ્ય યજમાન હસમુખલાલ ચંદુલાલ કાછીયા ના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામા હરિભકતો હાજર રહ્યા હતા. શોભાયાત્રા સમગ્ર કાલોલ ખાતે ફરીને વિજય ટૉકીઝ પાસે જતન એન્જિનિયરિંગ ખાતે આવી પહોંચી હતી જેમાં સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ લાલજી ભવન કાછીયા પટેલ પંચ ની વાડી મા મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button