BANASKANTHAKANKREJ

થરામાં મુમુક્ષારત્ન નેત્રાબેનનો ભવ્ય વર્ષીદાનયાત્રા બાદ બેઠું વર્ષીદાન યોજાયું.

કાંકરેજ તાલુકાની ધન્યધરા શાહ હરનેશભાઈ ચંપકલાલ (લેથવાળા) ની સુપુત્રી શાહ નેત્રાબેન હરનેશભાઈ નો જન્મ ૨૪ વર્ષ પૂર્વે એટલેકે તા.૧૬/૦૯/૧૯૯૯ ના રોજ થયેલ. માત્ર સાડા છ વર્ષની બાલ્યવયે દીક્ષિત સંયમૈલક્ષી પરમ પૂજ્ય સુલશ્રાશ્રીજી મ.સા.ના ઉપનિષદો અદ્વિતીય પ્રભાવનો સ્પર્શતા આત્માને ભૂલીને એમ.બી.એ. સુધી અભ્યાસ કરીને ખેલતી કૂદતી હતી.પણ ગુરૂમાઁ એ માતૃત્વ
ની વાત્સલ્યધરામાં ભીંજવીને સ્વ.-પરની મધુર સમજ આપી. દેવ-ગુરૂની જ અનંતકૃપાથી, સંયમની સાધનામાં પ્રવેશ થશે, સાક્ષીભાવનો સંગીન વેશ ધારણ કરી જે સિદ્ધિનો સાચો સેતુ બનશે ગુરૂમાઁ એ જ કહું કે હું કોણ છું? એનો સત્ય પરિચય કરાવ્યો છે. આવી નેત્રાબેન શાહ નો ભવ્ય વર્ષીદાનયાત્રા પાવપુરી સોસાયટી થી આજરોજ તા.૦૧/૦૩/૨૦૨૪ ને શુક્રવારના સવારે ગુરૂભગવંતોની પાવન નિશ્રામાં માતા-ભાવિનીબેન,પિતા હરનેશભાઈ,કાકી-અર્પિતાબેન,કાકા-દેવેન્દ્રકુમાર,શ્રી ઓગાડ વિદ્યા મંદિર થરાના પ્રમુખ ધીરજકુમાર કે.શાહ,કોર્પોરેટર ગીરાબેન શાહની ઉપસ્થિતિમાં નીકળી હાઈસ્કૂલ રોડ,શાક માર્કેટ, શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર થી તેરવાડિયાવાસ ચોરો, જૈન દાદાવાડી થઈ નિવાસ સ્થાને પરત આવી બેઠું વર્ષીદાન કરવામાં આવેલ.બપોરે ૧૨ કલાકે શ્રી સંઘ સ્વામિવાત્સલ્ય,૩ કલાકે મુમુક્ષરત્નાનું વાયણું સાંજે ૫ કલાકે પધારેલ મહેમાનોની સાધર્મિક ભક્તિ લાભાર્થી શાહ ચેતનાબેન રોહિતકુમારે લીધો હતો.રાત્રે ૮ કલાકે દીકરી નેતત્રાબેનની વિદાય સમારોહ શ્રી ઓગડવિદ્યા મંદિરના હોલમાં યોજાયો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button