LUNAWADAMAHISAGAR

મહીસાગર ખાતે એસ એસ સી અને એચ એસ સી સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર ખાતે એસ એસ સી અને એચ એસ સી સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ

મહીસાગર જિલ્લામાં એસ એસ સી અને એચ એસ સી નાં કુલ ૩૧૬૨૩ વિધાર્થીઓ પરીક્ષા આપશે

મહીસાગર જિલ્લામાં અગામી ધોરણ ૧૦ અને ૧૨ ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સંદર્ભમાં સ્થાયી પરીક્ષા સમિતીની બેઠક જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીનાં અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સ હોલ જિલ્લા સેવા સદન લુણાવાડા ખાતે યોજાઈ હતી

આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું હતું કે અગામી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ શાંતિપૂર્વક અને નિર્ભય પણે યોજાય તે માટે જરૂરી આયોજન કરવા સંબધિત અધિકારીઓને સુચના આપી હતી અને વિધાર્થીઓને સમયસર પરીક્ષા બિલ્ડિંગ ખાતે પોહચી જાય તે માટે વધુ બસ મૂકવા, વિધાર્થીઓ માટે આરોગ્યની સુવિધા પૂરી પાડવા સંબંધિત અધિકારીઓ જણાવ્યું હતું અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં કોઈ પણ કેન્દ્રો ખાતે ચીટિંગ ના થાય તેની પૂરતી તકેદારી રાખવી.

જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે આગામી મહીસાગર જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાઓ તારીખ ૧૧ માર્ચથી તારીખ ૨૬ માર્ચ સુધી યોજાશે. પરીક્ષામાં ધોરણ ૧૦ ના ૧૯૫૯૪ વિધાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ ૧૨ ની સામાન્ય પ્રવાહમાં ૧૦૧૫૮ અને ધોરણ ૧૨ ની વિજ્ઞાન પ્રવાહમાં ૧૮૭૧ વિધાર્થીઓ પરીક્ષા આપશે એમ મળી કુલ ૩૧૬૨૩ વિધાર્થીઓ પરીક્ષામાં આપશે

 

 

 

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button