NAVSARI

નવસારી: સુપા ગામે વીજ થાંભલા પર વાંદરાને કરંટ લાગતા મોંત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી જિલ્લાની પૂર્ણા નદી કિનારે વસેલા સુપા ગામના પ્રજાપતિ વાસ ના વિસ્તારમાં વાંદરાઓ બહોળી સંખ્યા રહેતા હોય છે. દરરોજ ઉછળ કુદ કરી આ વિસ્તારમાં પોતાની મસ્તીમાં મસ્ત લટાર મારતા જોવા મળતા હોય આજરોજ અચાનક એક વાંદરો વીજ થાંભલા પર ચઢી જતા તેને કરંટ લાગતા વીજ થાંભલા પર તેનું મોંત નિપજયું હતું. આ ઘટના અંગેની જાણ ગ્રામજનોને થતાં જોત જોતામાં જોવા માટે લોકોના લોકટોળા વળ્યા હતા હાજર ગ્રામજનોએ આ ધટના અંગેની જાણ વન વિભાગની સામાજિક વનીકરણ વિભાગ સુપા કચેરીમાં કરવામાં આવતા સુપા રેન્જનાં અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી વાંદરાને થાંભલા ઉપર ઉતારી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button