BANASKANTHAGUJARATPALANPUR

સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીકરવામાં આવી

6 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરમાં જન્માષ્ટમી પવૅની ઉજવણી કરવામાં આવી. સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતિ ચેતનાબેન જે મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાઓની બાળાઓ દ્વારા જન્માષ્ટમીને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મટકી ફોડ કાર્યક્રમ કરી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પવૅની ઉજવણીનું આયોજન અને માગૅદશૅન પ્રાથમિક શાળાના આચાયૅ શ્રીમતિ ચેતનાબેન જે મકવાણા તથા પ્રાથમિક શાળાના સમગ્ન સ્ટાફના સહકારથી ખુબ જ સરસ રીતે થયેલ. શાળાના બાળકો આ કાયૅક્રમ નિહાળીને પ્રોત્સાહીત થયા.બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુરના પ્રમુખ શ્રી બાબુભાઈ પી સોલંકી તથા મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકીએ શાળાના આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button