
મૂળનિવાસી એકતા મંચ દ્વારા આજ રોજ કરજણ તાલુકાના સુમેરુ નવકાર તીર્થ ખાતે સને ૨૦૨૨ – ૨૩ ના વર્ષમાં ધોરણ ૧૦ તથા ૧૨ ધોરણ માં ૮૦ ટકાથી ઉપર ટકા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું.સન્માન સમારોહ માં વિદ્યાર્થી ના માતા પિતા અને વડીલો એ હાજરી આપી હતી. અને આવનાર મહેમાનો નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં મુખ્ય મેહમાન તરીકે કરજણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી એસ આઈ વસાવા સાહેબ તથા મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર, રાજુભાઈ વસાવા સહિત મોટી સંખ્યામાં મૂળનિવાસી એકતા મંચ ના લોકો જોડાયા હતા..મીનેશભાઈ એડવોકેટ દ્વારા શિક્ષણ વિશે અને શિક્ષણના મહત્વ વિશે સુંદર ચિતાર રજૂ કર્યો હતો અને વસાવા સાહેબ પણ બાળકો ને શિક્ષણ વિશે માહિતગાર કર્યા હતા.તમામ બાળકોને આગામી દિવસોમાં ઝળહળતી ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે ની શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગીનભાઈ, જીગ્નેશભાઈ મારવાડી, અરવિંદભાઈ એડવોકેટ નીતિનભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ કર્યું હતું..
ફૈઝ ખત્રી..શિનોર