ખેતી પાકો માટે અનિવાર્ય બનેલી તાર ફેન્સીગ યોજના ના અભાવે ખેડૂતો ને ખેતી પાકો માં થતું નુકશાન અટકાવવા ફાંફા..
શિનોર પંથકમાં ખેતીપાકોમા ડુક્કર, નિલગાય સહિત ના પશુઓથી ખેતીપાકોને પહોંચતા મોટા નુકશાન ને અટકાવવા તાર ફેન્સીગ યોજના અનિવાર્ય બની છે.. પરંતુ ખેડૂતો ને તારી ફેન્સીગ યોજના નો લાભ નહીં મળતાં, ખેડૂતો દ્વારા ખેતી પાક ને થતું નુકશાન અટકાવવા વિવિધ નુસખા અપનાવવાની ફરજ પડી રહી છે..
કૃષિ પ્રધાન ગણાતા ભારત વર્ષમાં, ખેતી ને અગ્રીમતા આપી રહેલી સરકાર દ્વારા, કૃષિ વિષયક અનેક યોજનાઓ જાહેર કરી અમલી બનાવાય છે.. પરંતુ પ્રવર્તમાન સમયમાં ખેતીપાકોમા ડુક્કર, નિલગાય સહિત ના પશુઓથી ખેતીપાકોને પહોંચતા નુકસાન ને અટકાવવા તાર ફેન્સીગ અનિવાર્ય બની છે.. સરકાર દ્વારા તાર ફેન્સીગ ની યોજના પણ જાહેર કરાયેલી છે.. પરંતુ વડોદરા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાસે મોટા બ્લોક માં જમીન ના હોય, વડોદરા જીલ્લા ના ખેડૂતો ને તારી ફેન્સીગ યોજના નો લાભ મળતો નથી..જેના કારણે આર્થિક રીતે થોડા સક્ષમ ખેડૂતો ને, સ્વખર્ચે તાર ફેન્સીગ કરવાની ફરજ પડી રહી છે.. જ્યારે જે ખેડૂતો આર્થિક રીતે પહોંચી શકે તેમ નથી તેવા ખેડૂતોને, ખેતી પાક ને બચાવવા લાકડાના ડંડા રોપી, તાર મારવાની કે પછી ખેતરની ફરતે સાડીઓ ની આડસ ઉભી કરવાની ફરજ પડી રહી છે.ત્યારે જીલ્લા ના ખેડૂત નેતાઓ, સહિત પોતાને ખેડૂત તરીકે ગણાવતા ધારાસભ્યો, તથા કૃષિ વિભાગ ના સંબંધિત અધિકારીઓ, ખેડૂતો ને ખેતીપાકોમા થતાં નુકશાન ને અટકાવવા અનિવાર્ય બનેલી તાર ફેન્સીગ યોજના માટે સરકાર માં અસરકારક રજૂઆત કરી ખેડૂતો ની સમસ્યા નું નિરાકરણ લાવે એ જરૂરી છે..
ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ આ યોજના માટે ખેડૂતો એ દોડધામ કરી કરેલી અરજીઓ પૈકી મંજુર થયેલી અરજીઓ અંગે આજદીન સુધી, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળેલ નથી..
ફૈઝ ખત્રી ..શિનોર





