NATIONAL

મહિલાઓએ ફેલાવ્યો કાનૂની આતંકવાદ : કોલકત્તા હાઈકોર્ટ

કોલકાતા: કોલકત્તા હાઈકોર્ટે કહ્યું કે મહિલાઓએ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498Aનો દુરુપયોગ કરીને એક રીતે ‘કાનૂની આતંકવાદ’ ફેલાવ્યો છે. આ કાયદો મહિલા વિરુદ્ધ તેના પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા થયેલી ક્રૂરતાને અપરાધ ગણાવે છે. સ્વપન દાસ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્યમાં ન્યાયાધીશ સુભેન્દુ સામંતાએ કહ્યું કે કલમ 498A મહિલાઓના ભલા માટે બનાવવામાં આવી હતી પરંતુ હવે ખોટા કેસ દાખલ કરીને તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જસ્ટિસ સામંતે કહ્યું હતું કે સમાજમાંથી દહેજની દુષ્ટતાને દૂર કરવા માટે વિધાનસભાએ કલમ 498A લાગુ કરી છે. પરંતુ હવે ઘણા કિસ્સામાં તેનો દુરુપયોગ થતો જોવા મળ્યો છે.

‘બાર એન્ડ બેન્ચ’ના અહેવાલ અનુસાર જસ્ટિસ સુભેંદુ સામંતે તેના એક ચૂકાદામાં કહ્યું હતું કે એક વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો સામે કલમ 498Aના કેસને રદ કરતી વખતે, કોર્ટ ફોજદારી કાયદો ફરિયાદીને ફોજદારી ફરિયાદ દાખલ કરવાની પરવાનગી આપે છે, પરંતુ તે નક્કર પુરાવા રજૂ કરીને ન્યાયી હોવું જોઈએ. એક અરજી અનુસાર વ્યક્તિની પત્નીએ તેના પતિ વિરુદ્ધ ઓક્ટોબર 2017માં માનસિક અને શારીરિક ક્રૂરતાનો આરોપ લગાવીને પ્રથમ કેસ દાખલ કર્યો હતો. આ પછી પોલીસે દંપતીના કેટલાક સાક્ષીઓ અને પડોશીઓના નિવેદન પણ નોંધ્યા હતા. જોકે પોલીસે જણાવ્યું હતું કે પતિ સામે સામાન્ય આરોપો જ લગાવવામાં આવ્યા હતા. પત્નીએ ડિસેમ્બર 2017માં બીજી ફરિયાદ નોંધાવી હતી. આ વખતે પતિના પરિવારના સભ્યોનું નામ લેતા, તેમના પર ક્રૂરતા અને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

જો કે હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે વ્યક્તિએ રાહત માટે અરજી કરી હતી તેની સામે ગુનો સાબિત થાય તેવા કોઈ પુરાવા રેકોર્ડ પર લાવવામાં આવ્યા નથી. હાઈકોર્ટે કહ્યું કે હકીકતમાં ફરિયાદી મહિલાનો તેના પતિ પર સીધો આરોપ માત્ર તેનું પોતાનું નિવેદન છે. તેના માટે કોઈ દસ્તાવેજી અથવા તબીબી પુરાવા નથી. હાઈકોર્ટે વધુમાં નોંધ્યું કે લગ્ન પછી, દંપતી પતિના સંબંધીઓથી અલગ એપાર્ટમેન્ટમાં રહેતા હતા, આ અવલોકનો સાથે હાઈકોર્ટે પતિ સામેનો કેસ પણ ફગાવી દીધો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button