NATIONAL

મણિપુરમાં હિંસા ફરી ભડકી, IRF જવાન સહિત 6 લોકોના મોત થયા, મૃત્યુ આંક ૧૬૦ ની પાર

મણિપુરમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. ભલે આંકડાઓ મૃત્યુઆંક 160 બતાવે છે, પરંતુ સતત હિંસાને જોતા, લાગી રહ્યું છે કે, આ હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યાની ગણતરી કરવામાં આવી નથી. શનિવારે પણ IRF જવાન સહિત ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ મોડી રાત સુધી ઘણા વિસ્તારોમાં ગોળીબાર ચાલુ રહ્યો હતો. ક્વાટા વિસ્તારમાં મેઇતે સમુદાયના ત્રણ લોકોની તેમના ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ હુમલાખોરોએ મૃતદેહનો પણ નાશ કર્યો હતો. કલાકો પછી, ચુરાચંદપુર જિલ્લામાં કુકી સમુદાયના બે લોકોની હત્યા કરવામાં આવી હતી. અલગ-અલગ જગ્યાએ થયેલી આ હત્યાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે શોધવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં 3 મેથી હિંસા ચાલી રહી છે. અત્યાર સુધીમાં 160 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગુરુવારે રાત્રે વિષ્ણુપુરના IRF શસ્ત્રાગાર પર થયેલા હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો, જે બાદમાં મૃત્યુ પામ્યો હતો. વિષ્ણુપુરમાં શસ્ત્રાગાર પર હુમલો કરીને ટોળાએ સેંકડો રાઈફલો અને હજારો રાઉન્ડ ગોળીઓની લુંટ મચાવી હતી. ITLFએ 35 લોકોના સામૂહિક અગ્નિસંસ્કારની જાહેરાત કરી હતી. જ્યારે વહીવટીતંત્રે તેમને આમ કરવાથી રોક્યા ત્યારે ટોળાએ IRF હેડક્વાર્ટર પર હુમલો કર્યો અને હથિયારો અને દારૂગોળો લૂંટી લીધો. મેઇતે લોકોએ પણ આ સામૂહિક અંતિમ સંસ્કારનો વિરોધ કર્યો હતો. આ પછી હિંસા શરૂ થઈ

કમ્બાઈન્ડ હેડક્વાર્ટર દ્વારા બફર ઝોન બનાવવા માટે રસ્તા પર વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. પ્રોટોકોલ મુજબ, કેન્દ્રીય દળો સમુદાયોને અથડામણથી રોકવા માટે બફર ઝોન બનાવે છે જેથી શાંતિ પુનઃસ્થાપિત કરી શકાય. હિંસાની વિગતો આપતા અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે પહેલો હુમલો ક્વેટામાં થયો હતો જ્યાં બફર ઝોન બનાવવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button