કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો મળી : સેન્ટ્રલ વિજિલન્સ કમિશન

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દેશના સૌથી મહત્વપૂર્ણ મંત્રાલયોમાંનું એક છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો ગૃહ મંત્રાલયના કર્મચારીઓ સામે આવી છે. ભ્રષ્ટાચારના મામલામાં રેલવે મંત્રાલય બીજા નંબર પર છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)ના નવા વાર્ષિક રિપોર્ટમાં આ આંકડાઓ સામે આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો ગૃહ મંત્રાલય, પછી રેલવે મંત્રાલય અને પછી બેંક કર્મચારીઓ સામે આવી છે.
CVCના રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં કેન્દ્રીય કર્મચારીઓ અને વિભાગો વિરુદ્ધ કુલ 1,15,203 ફરિયાદો મળી હતી. તેમાંથી 85,437 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને 29,766 હજુ પેન્ડિંગ છે. બાકીની 22,034 ફરિયાદો એવી હતી કે જે ત્રણ મહિના કરતાં વધુ સમયથી પેન્ડિંગ હતી. એક અધિકારીએ જણાવ્યું કે CVC એ નિયમ નક્કી કર્યો છે કે કોઈપણ ફરિયાદ પર 3 મહિનાની અંદર કાર્યવાહી કરવી જોઈએ.
ગયા વર્ષે સૌથી વધુ 46,643 ફરિયાદો ગૃહ મંત્રાલયના કર્મચારીઓ સામે, 10,580 રેલવે મંત્રાલયના કર્મચારીઓ સામે અને 8,129 બેંક કર્મચારીઓ સામે નોંધાઈ હતી. તેમાંથી ગૃહ મંત્રાલયની 23,919 ફરિયાદોનું સમાધાન કરવામાં આવ્યું હતું. 22,724 પેન્ડિંગ છે અને 19,198 એવા હતા કે જે 3 મહિનાથી વધુ સમયથી પેન્ડિંગ હતા. તે જ સમયે, રેલ્વેની 9663 અને બેંકોની 7,762 ફરિયાદોનું સમાધાન કરવામાં આવ્યું હતું.
આમાં દિલ્હી સરકારના કર્મચારીઓ વિરુદ્ધ 7,370 ફરિયાદો સામે આવી હતી, જેમાંથી 6,804નું સમાધાન કરવામાં આવ્યું હતું. 566 પેન્ડિંગ છે અને 18 ફરિયાદો એવી હતી કે જે 3 મહિના કરતાં વધુ સમયથી પેન્ડિંગ રહી હતી.










