NATIONAL

નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડવાને કારણે ઓછામાં ઓછા 17 મજૂરોના મોત

મિઝોરમમાં એ ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડવાને કારણે ઓછામાં ઓછા 17 મજૂરોના મોત થયા છે. ઘટનાસ્થળે અન્ય ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. જે જગ્યાએ આ ઘટના બની તે રાજધાની આઈઝોલથી લગભગ 21 કિમી દૂર સવારે 10 વાગ્યાની આસપાસ છે. ઘટના સમયે તમામ મજૂરો પુલ પર કામ કરી રહ્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધી કાટમાળમાંથી 17 મૃતદેહો મળી આવ્યા છે. અન્ય ઘણા લોકો હજુ પણ ગુમ છે.”

અહેવાલો અનુસાર, આ રેલવે પુલ સાયરાંગ પાસે કુરુંગ નદી પર બનાવવામાં આવી રહ્યો હતો. જેના કારણે બૈરાબી અને સાયરાંગ વિસ્તારની કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે. જે રેલવે થાંભલા પડી ગયા છે તેની ઊંચાઈ લગભગ 104 મીટર એટલે કે કુતુબ મિનારની ઊંચાઈ કરતાં 42 મીટર વધુ હોવાનું કહેવાય છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button