MEHSANAVIJAPUR

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા મમતા દિવસ ની ઉજવણી કરાઈ

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા મમતા દિવસ ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા ની બાજુ માં આવેલ આંગણવાડી માં ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મમતા દિવસ ની ઉજવણીના ભાગરૂપે 10 થી19 વર્ષ ની તરુણીઓ ને સ્વાસ્થ્ય સંબધી માહિતી અને તેમના સ્વાસ્થ્ય ની ચકાસણી કરવા નો કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ દ્રારા કિશોરીઓને પાંડુરોગ ના ચિહનો લક્ષાનો ની તેમજ સારવાર માટે આર્યન ફોલિક ની ગોળી ગળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અર્બન હેલ્થ ઓફિસર ડો દિવ્યા રાણા દ્રારા માસિક સંબધી માહિતી તેમજ સ્વચ્છતા બાબતે તેમજ સેનેટરી નેપકીન ઉપયોગ અને નિકાલ ની માહિતી આપી હતી..તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્રારા તમાકુ ના વ્યસન થી થતાં શરીર ના રોગો ની માહિતી આપવા માં આવી હતી તેમજ વ્યસન મુક્તિ ના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.કિશોરીઓ ના એચ બી તપાસ કરવામાં આવી તેમજ પોષ્ટીક આહાર વિશે તેમજ વ્યક્તિગત સ્વચ્છતા ની જાણકારી આપવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button