GUJARATPADDHARIRAJKOT

Rajkot: પડધરીના બાઘી તથા ફતેપરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં લાભાર્થીઓને સહાય વિતરણ

તા.૩/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું, લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લોકોને અપીલ

Rajkot: લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી આપતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૨ જ્યારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બાઘી તથા ફતેપર ગામે પહોંચ્યો, ત્યારે પરંપરાગત રીતે રથના વધામણાં કરાયા હતા. આ અવસરે વિવિધ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તેમજ અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બાઘી ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત પહેલી ડિસેમ્બરે વિવિધ કાર્યક્રમો સાથે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તેમજ અન્ય સરકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સગર્ભા બહેનોને પોષણ કિટ આપવામાં આવી હતી.

જ્યારે ફતેપર ગામમાં પહેલી ડિસમ્બરે સંકલ્પ રથયાત્રા પહોંચી ત્યારે મહાનુભાવો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્ણ રીતે રથનું સ્વાગત કર્યું હતું. આ તકે વિવિધ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.) કાર્ડ, ઉજ્જવલા ગેસ, પોષણ કિટનું વિતરણ પણ કરાયું હતું.

બંને ગામમાં ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ તકે સરકારી યોજનાઓના લાભ આપતા વિવિધ સ્ટોલ્સ પણ ઊભા કરાયા હતા.

આ અવસરે તાલુકા વિકાસ અધિકારીશ્રી ભીમાણી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રોહિતભાઈ ચાવડા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વતીશ્રી મુકેશભાઈ મુંગલપરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી જગદીશભાઈ મુછડિયા, વિસ્તરણ અધિકારીશ્રી કે.એસ. નિર્મળ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી ઉર્મીબેન શેઠ, તાલુકા અગ્રણીઓ શ્રી શૈલેષભાઈ ગજેરા, છગનભાઈ વાંસજાળિયા, નિલેષભાઈ ડોડિયા, મુકેશભાઈ તળપદા, તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ ગામના સરપંચો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button