
માળિયા તાલુકાના સરવડ અને તરઘરી ગામના સંરપચ સસ્પેન્ડ
માળિયા તાલુકાના તરઘરી ગ્રામ પંચાયતના સાગર અંબારામભાઈ ફૂલતરીયા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં મારામારી અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો તેમજ માળિયા તાલુકાના સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવા વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાઈ હતી જે બંને સરપંચો સામે ફોજદારી કાર્યવાહી થઇ હતી

જેથી સરપંચ તરીકે બંને જવાબદાર હોદા પર હોય અને સરપંચે ગુના આચરીને લોક સેવકને ના છાજે તેવું વર્તન કર્યું હતું જે નૈતિક અધઃ પતન તેમજ શરમજનક વર્તણુક ગણવાને પાત્ર હોય જેથી ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૯ (૧) હેઠળ જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી જાડેજાએ તરઘરી ગ્રામ પંચાયત સરપંચ સાગર ફૂલતરીયા અને સરવડના સરપંચ નવનીતભાઈ સરડવાને હોદા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
[wptube id="1252022"]








