NANDODNARMADA

નર્મદા જિલ્લામાં જમીન સંપાદનના વળતર મામલે કોર્ટે સરકારી કચેરીઓના સમાન જપ્ત કરવાના આદેશ આપતા દોડધામ

નર્મદા જિલ્લામાં જમીન સંપાદનના વળતર મામલે કોર્ટે સરકારી કચેરીઓના સમાન જપ્ત કરવાના આદેશ આપતા દોડધામ

ખેડૂતોએ અદાલતમાં રાવ નાખતા અદાલતે માર્ગ મકાન વિભાગ ની કચેરી ,કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરીના માલ સામાનની જપ્તીના આદેશો જારી કર્યા

અદાલતી ફરમાન સાથે ખેડુતો નો કાફલો સરકારી કચેરીઓ પર પહોંચતા સરકારી તંત્રમાં દોડધામ મચી

દેવલીયા થી રાજપીપળા સુધીના માર્ગ ઉપર આવતા લગભગ 40 થી 50 જેટલા ગામોની જમીનો સંપાદન બાદ હજી કરોડો રૂપિયાનું વળતર ચૂકવવાનું બાકી

સરકારના એક બીજા વિભાગો એકબીજાને ખો આપતા ખેડૂતોની કફોડી હાલત થતા ખેડૂતો અદાલતના શરણે

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં વિકાસના અનેક દાવાઓ વચ્ચે ખેડૂતો દયનીય હાલતમાં જીવન જીવી રહ્યા છે લગભગ એક દાયકાથી પણ વધુ સમય પહેલા નર્મદા જિલ્લાના ખેડૂતોની જમીનો સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગને ચાર માર્ગીય કરવા માટે જમીનો સંપાદન કરાય પરંતુ ખેડૂતોને આ જમીન સંપાદનના નાણા આજ દિન સુધી ન ચૂકવતા ખેડૂતો અદાલતના શરણે પહોંચ્યા હતા, જ્યાં રાજપીપળા ની અદાલતે નર્મદા કલેકટર કચેરી, પ્રાંત કચેરી અને માર્ગ અને મકાન વિભાગની કચેરીના માલસામાન સહિત જંગમ મિલકતોની જપ્તીના આદેશો જારી કર્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા રાજપીપળાથી દેવલીયા સુધીના માર્ગ ઉપર આવેલા ગામોની જમીનો સરકારે ચાર માર્ગીય રસ્તો બનાવવા માટે સંપાદન કરી હતી વર્ષ ૨૦૧૦ ની સાલમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી ૨૦૧૧ ની સાલમાં લગભગ ૧૫૦ થી પણ વધુ ખેડૂતોની જમીનો સંપાદન થઈ હતી લગભગ ૫૦ જેટલા ગામોના ખેડૂતોની જમીનો સંપાદન થતા ખેડૂતો પોતાને સરકાર ધારાધોરણ મુજબ જમીનોના વળતર ચુકવશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ એક દાયકાથી પણ વધુ સમય થઈ જતા ખેડૂતોને પોતાની જમીનોના યોગ્ય વળતર આજ દિન સુધી ચૂકવવામાં જ ન આવતા !!!! ખેડૂતોએ અદાલતનું શરણું લીધું હતું અદાલતે ખેડૂતોને વ્યાજ સહિત વળતર ચૂકવવા ૨૦૧૮ માં આદેશ કયો હોવા છતાં આજદિન સુધી ખેડૂતોને વળતર નહિ મળતાં રાજપીપળા ની અદાલતને ખેડૂતોએ ફરિયાદ કરતા અદાલતે આજરોજ સરકારી કચેરીઓના માલ સામાનની જપ્તી કરવાના આદેશ જારી કર્યા હતા, જેથી અદાલતે નિયુક્ત કરેલ બેલીફ સૌ પ્રથમ માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેરની કચેરીએ પહોંચ્યા હતા અને કચેરી ના ટેબલ ખુરશી કોમ્પ્યુટર સહિત જંગલ માલ મિલકત ની જપ્તી હાથ ધરી હતી અને ત્યારબાદ અદાલતે નિયુક્ત કરેલ કાફલો ખેડૂતોને સાથે રાખીને કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવટીયા ની રૂબરૂ મુલાકાત કરી અદાલતી ફરમાનની જાણ કરતા સમગ્ર કચેરીમાં ભારે હડકમ મચી હતી, નર્મદા જિલ્લા કલેકટરે ખેડુતો ના જમીન વળતર ના આમલા ને ગંભીરતા સાથે લઈ પ્રાંત અધિકારી રાજપીપળા ને તાત્કાલિક તેડું મોકલાવતા પ્રાંત અધિકારી કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા, અને ખેડૂતોને કેમ જમીનોના વળતર આજદિન સુધી ચૂકવાયો નથી જેની ચર્ચા વિમર્શ નર્મદા કલેકટરે પ્રાંત અધિકારી સાથે હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખની છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા રોડ માટે જ્યારે ખેડૂતોની જમીનો સંપાદન થઈ છે, જમીનો સંપાદન થયાને એક દાયકાથી પણ વધુ નો સમય વીતી ગયો તેમ છતાં ખેડૂતોને સરકાર તરફથી વળતરની વધારાની રકમ ખેડૂતોને ચૂકવવામાં આવી નથી સરકાર પાસે કરોડો રૂપિયાના લેણા ખેડૂતોના લેવાના બાકી નીકળતા હોય અને ફરી એકવાર સરકારે સિક્સ લેન્ રસ્તો બનાવવા માટે ખેડૂતોની બીજી જમીનો પણ સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરેલ હોય ખેડૂતોની માંગણી છે કે અમોને અમારા પહેલાના બાકી નાણા તો ચૂકવાય અને ત્યાર પછી સરકાર વિકાસના કામો માટે અમારી બીજી જમીનો સંપાદન કરે. ખેડૂતોની આ માંગ પણ વ્યાજબી છે ,ખેડૂતોને એક દાયકા સુધી તેમની જમીનોના વળતર ન ચૂકવાય અને વિકાસ માટે અન્ય માર્ગ બનાવવા માટે ફરી પાછું એક જાહેરનામું બહાર પાડી અને બીજી જમીનો સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરાય તો ધરતીપુત્ર કહેવાતા આ ખેડૂતો બચારા જાય તો ક્યાં જાય ??? ફરિયાદ કરે તો કોને કરે ?? હાલ તો ખેડૂતોએ અદાલતનું શરણું મેળવ્યું છે અને પોતાને ત્વરિત વળતર મળે એવી આશા સેવી રહ્યા છે

 

બોક્ષ મેટર

નર્મદા જીલ્લા કોલ્ક્ટરે અદાલત પાસે વળતર ચુકવવા મહોલત માંગી

નર્મદા જીલ્લા કોલ્ક્ટર ની કચેરી ખાતે અદાલતે નિયુક્ત કરેલ બેલીફ ખેડુતો સાથે પહોંચતા કલેક્ટરે તરતજ પ્રાંત અધિકારી ને તેડાવ્યા હતા,અને અદાલત પાસે થી પોતાની મ્હોલત માંગતા અદાલતે તા ૩૦ મી એપ્રિલ સુધીની મ્હોલત આપતા હાલ કલેકટર કચેરી સહિત પ્રાંત કચેરી ખાતે જપ્તી ની કાર્યવાહિ સામે મનાઈ હુકમ મેળવી મહોલત મળતા બન્ને કચેરી એ રાહત અનુભવી હતી.

[wptube id="1252022"]
Back to top button