
હર્ષદભાઈ કંસારા ટંકારા: ટંકારા તાલુકા ની નેકનામ માધ્યમિક શાળા ના આચાર્ય આર.પી.મેરજાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયેલ.
શ્રી નેકનામ ગ્રામ પંચાયત સંચાલિત ગ્રાન્ટેડ નેકનામ માધ્યમિક શાળા ના આચાર્યશ્રી આર.પી.મેરજા વય મર્યાદા કારણે 31 /8/ 2023 ના રોજ નિવૃત્ત થતા સંચાલક મંડળ નેકનામ ગ્રામ પંચાયત, શાળા પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા નેકનામ માધ્યમિક શાળા ખાતે સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયેલ.
આ સમારોહમાં ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા , સરપંચ કનકસિંહ ઝાલા ,ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામ પંચાયતના માજી સરપંચશ્રી ઓ ,જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેશવજી ભાઇ રૈયાણી,તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન કામરિયા, તાલુકા પંચાયત ટંકારા ના કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા તથા ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગીતાબેન ભોરણીયા , તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ઘનશ્યામસિંહ ઝાલા, ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રીમતી જ્યોત્સનાબેન ચીકાણી, તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા તથા જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપાસાહેબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ અંબારિયા ઉપસ્થિત રહ્યા હતા

નેકનામ માં ઉદ્યોગપતી હંસરાજભાઈ હાલપરા, પ્રવીણભાઈ કોરિંગા,નાનજીભાઈ લાલપરા ,પરસોતમભાઈ કોરીંગા, અરવિંદભાઈ રૈયાણી, દિનેશભાઈ સાણંદિયા ,શામજીભાઈ રૈયાણી અરજણભાઈ હરણીયા, સુરેશભાઈ હરણીયા ,દિનેશભાઈ હાલપરા, કચરાભાઈ ઘોડાસરા તથા જયદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહેલા હતા
મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એસ.પી. સરસાવડીયા ,ટંકારા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા ,દિલીપભાઇ બારૈયા ,ટંકારા સંકુલ કન્વીનર ભાવેશભાઈ જીવાણી, સહ કન્વીનર વિજયભાઈ ભાડજા તથા ગામના આગેવાનો , નિવૃત્ત શિક્ષકમિત્રો,આચાર્યો તથા ટંકારા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા ,દિલીપભાઇ બારૈયા ,ટંકારા સંકુલ કન્વીનર ભાવેશભાઈ જીવાણી, સહ કન્વીનર વિજયભાઈ ભાડજા તથા ગામના આગેવાનો , નિવૃત્ત શિક્ષકમિત્રો,આચાર્યો તથા ટંકારા તાલુકાની ગ્રાન્ટેડ અને સ્વ નિર્ભર શાળાના આચાર્ય મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યના દુર્લભજીભાઈ દેથરીયા ના વરદહસ્તે આચાર્ય આર.પી.મેરજા નું શાલ અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાંઆવેલ. ,વિવિધ આગેવાનો અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા આચાર્યની કામગીરી બિરદાવી નિવૃતિ ની શુભે ચ્છા પાઠવેલ.ગામના સરપંચ કનક સિંહ ઝાલા એ શાળાને એક વહીવટ કુશળ આચાર્યની ખોટ પડશે તેમ જણાવી શાળાના વિકાસ માટે કરેલા કાર્યો માટે અભિનંદન પાઠવેલ કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઈ કોરીંગા, કનકસિંહ ઝાલા ,તરૂણાબેન કોટડીયા , હરેશભાઇ ભાલોડીયા તથા રમેશભાઈ ભુભરીયાએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સુંદર સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણી એ કર્યું હતું, અંતમાં આચાર્ય આર.પી. મેરજા સાહેબે પ્રતિભાવ સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તથા શાળાની શૈક્ષણિક વિકાસ માટે રૂ.25000/ શાળાને અર્પણ કર્યા હતા








