
જમ્મુ કાશ્મીર: સુરક્ષા દળોએ કાશ્મીર ખીણ વિસ્તારમાં સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આ દરમિયાન સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. સોમવારે સેનાના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, પૂંચ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એકે 47, બે મેગેઝીન, 30 રાઉન્ડ, બે હેન્ડ ગ્રેનેડ અને પાકિસ્તાની મૂળની દવાઓ સહિત મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ઘણી ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ પાસેથી મળેલી ગુપ્ત માહિતીથી જાણવા મળ્યું હતું કે કેટલાક આતંકવાદીઓ નિયંત્રણ રેખાની પાર બાલાકોટ સેક્ટરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઇનપુટ્સના આધારે, આતંકવાદીઓની ઘૂસણખોરી પર દેખરેખ રાખવા માટે આ સ્થાનો પર એક સર્વેલન્સ ગ્રીડને હાઇ એલર્ટ પર મૂકવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાન, ગાઢ ધુમ્મસ અને ઉબડખાબડ પ્રદેશનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ સોમવારે સવારે બાલાકોટ સેક્ટરના હમીરપુર વિસ્તારમાં એલઓસી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જવાનોએ બે આતંકવાદીઓને આમ કરતા જોયા, જેવા આતંકવાદીઓએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, સુરક્ષા દળોએ પણ આતંકવાદીઓ પર વળતો ગોળીબાર કર્યો. જેમાં એક આતંકીને ગોળી વાગતાની સાથે જ તે જમીન પર પડી ગયો હતો. જ્યારે અન્ય નાસી જવામાં સફળ રહ્યા હતા.
હવામાનની સ્થિતિ અને દૃશ્યતામાં સુધારો થતાં સોમવારે બપોરે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શોધ દરમિયાન, એલસી તરફ દોરી જતા લોહીના નિશાન પણ મળી આવ્યા હતા. “ગુપ્ત માહિતી અનુસાર, ઘુસણખોરીનો પ્રયાસ કરનાર બે આતંકવાદીઓ તેમના જ સૈનિકોના ગોળીબારમાં ઘાયલ થયા હતા, પરંતુ તેમ છતાં તેઓ નિયંત્રણ રેખા પાર કરીને પાછા ફરવામાં સફળ રહ્યા હતા. બાદમાં ઇજાઓને કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. ભારતીય સેનાના જવાનો નિયંત્રણ રેખા પર નજર રાખી રહ્યા હતા.










